SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १३२ ગુtતના તિહાસિક ક્ષ (પ્લે. ૪૮ ) ચાણકય, બહસ્પતિ, મરૂદ્ધયાધિ શુક આદિ બુદ્ધિધામ મંત્રિઓને પહેલાં પૃથ્વી પર વિધાતાએ આ મંત્રિ(તેજપાલ)ને ઉત્પન્ન કરવાના અભ્યાસ માટે જ ખરેખર સર્યા હતા નહીં તે તેજપાલ તેમના કરતાં અધિસ્તર ક્યાંથી હોય? (મલે. ૪૯) સમરત પ્રાણીઓને અભ્યદય, નિવાસ, બલિએ સ્થાપેલી સ્થિતિનું પાલન કરતે, શ્રી વસ્તુપાલ અનુજ તેજપાલ હતું. આ જોવાલાયક તેજપાલને જેઈ કામન્દકિ પિતાના ગુણગ્રામને અધિક ખ્યાલ રાખતા નથી અને ચાણક્ય પણ પિતાની મતિ માટે વિરમય પમાડતો નથી. વળી મહંત શ્રી તેજપાલની પત્ની શ્રીમતી અનુપમ દેવીના પિતૃવંશનું વર્ણન – | (લે. ૧૦) પ્રાગ્વાટ અન્વયને મુગટ, લક્ષમીથી ભરપૂર ચદ્રાવતીને નિવાસી, જેણે ભૂમિ તલનું પ્રશંસનીય કીર્તિથી પ્રક્ષાલન કર્યું હતું તે ધીરપુરૂષ શ્રી ગાગા જળ્યો હતો, જેના સદાચારના અનુરાગથી કેણુ આનંદિત થયો નથી કે કે મસ્તક ડોલાવ્યું નથી કે કનાં રોમાંચ ઉદ્દભૂત થયાં નથી ? (લે. ૫૧) તેને સજજના પંથને અનુસરવાવાળો ધરણીગ નામને પુત્ર જન્મે જેણે ગુણસંપન્ન હોઈ, પિતાના સ્વામિના હદયમાં હારની પેઠે સ્થાન પ્રાપ્ત કર્યું. ન (લૈ. પ૨ ) તેને ત્રિભુવનમાં વિખ્યાત શિલવાળી ત્રિભુવનદેવી દયિતા હતી. આ બન્નેના દેહ જાદા હતા પણ મન એક જ હતું. | (લે. ૫૩) શીલમાં સાક્ષાત્ દક્ષની પુત્રી પાર્વતી જેવી તેમની પુત્રી અનુપમદેવીનું શ્રીતેજપાલ સાથે લગ્ન થયું હતું. (લે. ૫૪) સદાચાર રૂપી દિવ્ય કુસમ ધારતી લતા, આ અનુપમદેવી જે પિતાના કુળને નય, વિનય, વિવેક, ઔચિત્ય, દાક્ષિણ્ય, દાન આદિથી ઇન્દુ સમાન ગુણગણુથી પિતાનાં સકલ કુલને પ્રકાશ આપતી હતી, તે શ્રેષ્ઠ મંત્રી તેજપાલની પત્ની થઈ (લે. ૫૫) તેમને પુત્ર લાવણ્યસિંહ, ઈન્દિરૂપી દુષ્ટ અ પર અંકુશ રાખતે અનેશ મદનપ્રિય યૌવન પ્રાપ્ત કર્યા છતાં પણ ફક્ત સદ્ધર્મને રસ્તે ચાલે છે. | (લે. પ૬) શ્રીમાન તેજપાલના પવિત્ર પુત્ર શ્રીલસિંહના ગુણેની સ્તુતિ કોણ નથી કરતું જે લક્ષમીના બંધનમાં ઉસુક હોવા છતાં ત્રણે જગમાં કીતિ પૂર્ણ પ્રસારી હતી. | (લે. પ૭) ગુણરુપી ધન નિધાનથી ભરેલે આ કળશ (લસિંહ) ઢકાએલ નથી, તેમ જ ખલરૂપી સર્ષોથી ઘેરાએલ નથી; અને પુરૂષોથી ઉપભેગ થતો હોવા છતાં હમેશાં વૃદ્ધિ જ પામે છે. * (લે. ૫૮) મલ્લવ મંત્રીને લીલુકાથી થએલો પૂર્ણસિંહ નામે પુત્ર હતા. તેને અgણારવીથી ગુણેના નિવાસ સરખો આબાદી ભેગવતો પિયડ નામે પુત્ર હતા. ( લે. ૫૯ ) તેજપાલ મંત્રીની પત્ની અનુપમા હતી. લાવણ્યસિંહ તેમને આયુષ્યમાન પુત્ર હતો. (લે. ૬૦) તે પુત્ર અને તે પત્નીના ધર્માર્થે આ તેજપાલે અબુંદ ગિરિપર નેમીનાથનું પવિત્ર મદિર બંધાવ્યું. (લે. ૬) પૃથ્વીપર ઈન જેવા તેજપાલ મંત્રિએ શંખ જેવા ઉજજવળ શિલાઓની હારથી ચંદ્ર અને કુન્દ પુના જેવું રૂચિર, આગળ મડપવાળું, બાજુમાં ઉત્તમ જિનેના પર (બાવન) મંદિરવાળું અને અગ્રે બલાનકવાળું તે નેમીનાથનું મંદિર બંધાવ્યું હતું. | (લો. ૬૨) શ્રીમાન થર્ડપને પુત્ર ચહપ્રસાદ હતો. તેને સેમપુત્ર હતું. તેને અશ્વરાજ નામે પુત્ર હતું તેને પવિત્ર આશયવાળા, જિનશાસનના ઉદ્યાનમાં ચઢતા મેઘ (વાદળ) જેવા શ્રીલૂણીગ, મંત્રિ મલદેવ, શ્રીવાસ્તુપાલ અને તેજપાલ નામના પુત્રો થયા. For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy