SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૪૭ કુમારપાલના રાજ્યની વડનગર પ્રશસ્તિ વિક્રમ સંવત ૧૨૦૮ આશ્વિન સુદિ ૫ ગુરૂવાર (પુનઃ લખાઈ-વિ, સં. ૧૬૮૯ ચૈત્ર સુદ ૧ ગુરૂવાર ). સાથેની વડનગર પ્રશસ્તિની આવૃત્તિ ભાવનગરના વજેશંકર. જી. ઓઝાએ મોકલેલી કાગળની છાપ તથા ઉપયોગી અક્ષરાન્તર ઉપરથી બનાવી છે. તેઓના પ્રાચીન વસ્તુઓ સંબંધી ઉત્સાહ ને લીધે પશ્ચિમ હિન્દના લેખેને ઘણો મોટે ભાગ મળી શકે છે. પ્રફે સુધારવામાં, મી. એચ. કઝીન્સે તૈયાર કરેલી એક છાપ ડો. બર્જેસે મને આપી હતી તેને પણ મે ઉપગ કર્યો છે. | મી. એચ. એચ. ધ્રુવે ઈ એ. જે. ૧૦ પા. ૧૬૦ માં પ્રથમ સ્થાન ઉપર આવેલ આ લેખ વડનગરમાં સામેલા તળાવ પાસે અર્જુન બારીમાં એક પત્થરના ટુકડામાં કોતરેલે છે છાપ ઉપરથી અનુમાન કરતાં તે ટુકડે ૩૫ ઇંચ ઉંચે અને ૩૨ ઇંચ પહોળે લાગે છે, અને ખરાબ રીતે કતરેલી સાધારણ નાગરી લિપિની ૪૬ પંક્તિઓ છે. એકંદરે તે સુરક્ષિત છે. ફક્ત મધ્યમાં ૧૯ મી પંક્તિ પત્થરમાં ફટ પડવાથી આખી નાશ પામી છે, અને ૧૭, ૧૮ તથા ૨૦ મી પંક્તિઓને થોડું ઘણું નુકશાન થયું છે. ૨૬ તથા ૨૭ મી પંક્તિએને એના થડા અક્ષરે નાશ પામ્યા છે. ભાષા સંસ્કૃત છે, અને પ્રતાવિક પ્રાર્થના તથા અંતના ભાગ સિવાય આ લેખ પદ્યરૂપ છે. આ લેખમાં, ચૌલુક્ય રાજા કુમારપાલે વિક્રમ સંવત્ ૧૨૦૮ માં બંધાવેલા આનંદપુર નગરના કિલા ઉપરની શ્રીપાલની પ્રશસ્તિની નકલ તથા વિક્રમ સંવત ૧૬૮૯ માં કરેલા જીર્ણોદ્ધાર વખતે આ નકલના બનાવનારે કરેલા બે વધારાના શ્લોકો છે. શ્રીપાલની કવિતા શિવની પ્રાર્થના તથા બ્રહ્માને સંબધિત મંગલથી શરૂ થાય છે. (શ્લેક ૧) ત્યાર પછીના સાત ગ્લાકો (૨-૮)માં ચૌલુકાને ઉખવ, તે વંશના મૂળ પુરુષનું નામ, તથા ગુજરાતના પહેલા આઠ ચૌલુકય રાજ્ય કર્તાઓનું વર્ણન આપ્યું છે. બીજે સ્થળેથી જણાયેલા રાજાઓની નોંધ સાથે આ નોંધ મળતી આવે છે. ૧, મૂલરાજ. ૨. તેને પુત્ર ચામુંડરાજ. ૩, તેને પુત્ર વલ્લભરાજ. ૪. તેને બંધુ દુર્લભરાજ . ૫. ભીમદેવ, ૬. તેને પુત્ર કર્ણ. હ. તેને પુત્ર જયસિંહ-સિદ્ધરાજ, ૮. કુમારપાલ. હરક રાજાના નામ સાથે આપેલી ઐતિહાસિક ધમાં ખાસ જાણવા જેવું કંઈ નથી. પરંતુ લેખની પ્રાચીનતાને લીધે તે ઉપયોગી છે. આ લેખ જાનામાં જાના પ્રબંધ, હેમચંદ્રના “ દ્વયાશ્રય કાવ્ય” એટલે પ્રાચીન છે. મૂલરાજ વિષે (શ્લેક ૫ માં) કહ્યું છે કે “તેણે ચાપેકટ રાજાનું દ્રવ્ય, તેઓને જિતીને, વિદ્વાન, બંધુજને, બ્રાહ્મણ, કવિઓ તથા સેવકજનેના ઉપભંગ માટે અપર્ણ કર્યું.” મૂલરાજનાં જમીનનાં દાનમાં (ઈ. એ. . ૬ પા. ૧૯૨ ) પશુ ઉપર પ્રમાણે કહ્યું છે કે “તેણે પોતાનાં બાહુબળ વડે સરસ્વતી નદીને પ્રદેશ જિયે,” અને આથી ૧ છે. ઈ. તા. ૧ પા. ૨૯૩ વજેસં છે. એઝ તથા ઇ, ખૂજા, For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy