SearchBrowseAboutContactDonate
Page Preview
Page 887
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ તત્વાર્થસૂત્રને - તત્વાર્થદીપિકા–પહેલા જ્ઞાનાવરણ વગેરે કર્મ રૂપ મૂળ પ્રકૃતિઓનું તથા તેમના સ્થિતિ બન્ધ કાળનું નિરૂપણ કરવામાં આવ્યું, હવે અનુભાવબન્ધનું નિરૂપણ કરીએ છીએ-- જ્ઞાનાવરણ દર્શનાવરણ વગેરે મૂળ પ્રકૃતિએને તથા મતિજ્ઞાનાવરણ વગેરે ઉત્તર પ્રકૃતિએને જે વિપાક અર્થાત્ ફળ છે, તે અનુભાવ કહેવાય છે૨૧ / તવાર્થનિર્યુકિત–અગાઉના પાંચ સૂત્રોમાં જ્ઞાનાવરણ આદિ કર્મોની ઉત્કૃષ્ટ તથા જઘન્ય સ્થિતિની પ્રરૂપણ કરવામાં આવી છે. હવે અનુક્રમથી પ્રાપ્ત અનુભાવબન્ધનું વિશિષ્ટ લક્ષણ બતાવીને પ્રમાણ કરીએ છીએ જ્ઞાનાવરણ આદિ મૂળ પ્રકૃતિએના આને મતિજ્ઞાનાવરણ આદિ ઉત્તર પ્રકૃતિએને સર્વ કર્મોના વિપાક ફળ અથવા ઉદયાવલિકામાં પ્રવેશ અનુભાવ કહેવાય છે. જ્ઞાનાવરણ આદિ કર્મોને વિશિષ્ટ અથવા વિવિધ પ્રકારને પાક વિપાક કહેવાય છે અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવરૂપ નિમિત્તકારણેના ભેદથી ઉત્પન્ન જુદા જુદા પ્રકારના પાક-વિપાક અનુભવરૂપ અનુભાવ કહેવાય છે. પ્રશસ્ત અને અપ્રસ્ત પરિણામેનો તીવ્ર મન્દ વગેરે વિપાક, જે પૂર્વોક્ત જ્ઞાનાવરણ આદિ કર્મોની ભારત જન્મેલા સુખ-દુઃખ નાદિ ફળ રૂપ હોય છે, તેને અનુભવ કરવો અનુભવ છે. આ શુભ પરિણમેને ઉત્કર્ષ-અધિકપણું થવાથી શુભ કર્મ પ્રવૃતિઓમાં ઉત્કૃષ્ટ અનુભાવ ઉત્પન્ન થાય છે. અને અશુભ કર્મ પ્રકૃતિમાં નિકૃષ્ટ એ છે અનુભાવ ઉત્પન્ન થાય છે જ્યારે અશુભ પરિણામમાં ઉત્કર્ષ થાય છે ત્યારે અશુભ કર્મ પ્રકૃતિ તીવ્ર અનુભાવ અને શુભ પ્રવૃતિઓમાં મન્દ અનુભાવ ઉત્પન્ન થાય છે. અથવા જેના કારણે આત્મા બન્ધને અનુભવ કરે છે તેને અનુભાવ કહે છે અથવા અનુગત ભાવ અનુભાવ કહેવાય છે જ્યારે પૂર્વે બંધાયેલા કર્મો ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થાય છે ત્યારે જીવને ઈચ્છાથી કે અનિચ્છાથી અનુસમય-પ્રતિસમય તેને ભેગવે જ પડે છે. - જ્ઞાનાવરણ કર્મનું ફળ જ્ઞાનને અભાવ હોય છે દર્શનાવરણનું ફળ દર્શનશકિતની રુકાવટ છે. આ રીતે સર્વ કર્મો દ્વારા ઉત્પન્ન થનારા સુખ દુખ રૂપ અનુભૂતિ થાય છે. તે કર્મવિપાક અમુક-અમુક પ્રકારના હોય છે. જે પ્રકારના અધ્યવસાયથી જે કર્મ જે રૂપમાં બંધેલા છે તે તે રૂપમાં ફળ પ્રદાન કરે છે તે જ કર્મફળ જીવને જોગવવું પડે છે. કદી–કદી અન્ય રીતે પણ ભગવાય છે. કર્મનો વિપાક કોઈ તીવ્ર કેઈ મન્દ તે કઈ મધ્યમ હોય છે. કયારે-કયારેક શુભ રૂપમાં બાંધેલા કર્મનું ફળ અશુભ રૂપમાં લેવાય છે અને અશુભ રૂપમાં બાંધેલ કર્મનું ફળ ગુજરૂપમાં ભેળવવામાં આવે છે. આવી જ રીતે કર્મ ફળ-વિપાકમાં દ્વિરૂપતા સમજવી જોઈએ. કહ્યું પણ છે– જ્ઞાનાવરણ વગેરે આઠ કર્મ પ્રવૃતિઓમાંથી કઈ કર્મ પુદ્ગલવિપાકી હોય છે તેનું ફળ પુદ્ગલમાં જ મળે છે અથાત તે કર્મ પુદ્ગલમાં જ વિવિધ પ્રકારના પરિણમન ઉત્પન્ન કરે છે. કોઈ કમ પ્રકૃતિ ભવવિપાકી હોય છે તેનું ફળ ભવાન્તરની પ્રાપ્તિ થવા પર દેહધારી જીવ જ ભગવે છે કોઈ-કોઈ કર્મપ્રકૃતિ ક્ષેત્રવિપાકી હોય છે તેનું ફળ ક્ષેત્રે પ્રાધાન્યથી ભેગવાય છે. કઈ કર્મ જીવ-વિપાકી હોય છે તેનું ફળ આત્માને જ ભેગવવું પડે છે અર્થાત આત્માના ગુણને તે પ્રભાવિત કરે છે. કહ્યું પણ છે
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy