________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
છે
સમજે
युद्धमुत्सृज्य यो याति स देवैर्हन्यते भृशम् ।। ३०१ ॥
જે મનુષ્ય સંગ્રામ ત્યાગ કરીને નાશી જાય છે, તેને દેવતાઓ પણ સમૂળ નાશ કરે છે. ૩૦૧
समोत्तमाघमै राजा त्वाहूतः पालयन्प्रजाः । न निवर्तेत सामात्क्षत्रधर्ममनुस्मरन् ॥ ३०२ ॥
પ્રજાપાલન કરતા રાજાને સમાન, ઉત્તમ, અથવા અધમ શત્રુ યુદ્ધ માટે બોલાવે તે ક્ષત્રિય ધર્મને સંભારી તેની સામે યુદ્ધ કરવા માટે જવું, પણ પાછું હઠવું નહીં. ૩૦૨
राजानञ्चावियोद्धारं ब्राह्मणञ्चाप्रवासिनम् । भूमिरेतौ निर्गिलात सो बिलशयानिव ॥ ३०३ ।।
સર્પ જેમ પોતાના દરમાં રહેનારાને ગળી જાય છે તેમ પૃથ્વી યુદ્ધન કરનારા રાજાને અને ઘરમાં બેસી રહેનારા બ્રાહ્મણને ગળી જાય છે. ૩૦૩
बाह्मणस्यापि चापत्तौ क्षत्रधर्मेण वर्त्ततः । प्रशस्तं जीवितं लोके क्षत्रं हि ब्रह्मसम्भवम् ॥ ३०४ ॥
આપત્તિના સમયમાં બ્રાહ્મણ પણ ક્ષત્રિય ધર્મ પાળે તે લેકમાં તેને જીવન સફળ ગણાય છે; કારણ કે ક્ષત્રિય બ્રહ્માથી ઉત્પન્ન થયા છે; માટે બ્રાહ્મણને ક્ષત્રિયનું કામ કરવામાં કંઈ દેષ નથી. ૩૦૪ *
अधर्मः क्षत्रियस्यैष यच्छय्यामरणं भवेत् । विसृजनश्लेष्मपित्तानि रुपणं परिदेवयन् ॥ ३०५ ॥ अविक्षतेन देहेन प्रलयं योऽधिगच्छति । क्षत्रियो नास्य तत्कर्म प्रशंसन्ति पुराविदः ॥ ३०६ ॥
ક્ષત્રિયનું શવ્યામાં મરણ થાય તે ક્ષત્રિય ધર્મ નથી પણ તે અધર્મ છે. જે ક્ષત્રિય બડખા અને શ્લેષ્મ કાઢતાં દયા ઉપજે તેમ વિલાપ કરતાં અક્ષત શરીરે શય્યામાં મરણ પામે છે તેનાં આવાં શવ્યાકરણને ઈતિહાસવેત્તા પંડિતો વખાણતા નથી. ૩૦૫-૨૦૧૬
न गेहे मरणं शस्तं क्षत्रियाणां विना रणात् । शौण्डीराणामशौण्डीरमधर्म कृपणं हि तत् ॥ ३०७ ॥
ક્ષત્રિને રણ વિના ઘરમાં ખાટલે પડીને મરવું તે ઉત્તમ ગણાતું નથી; કારણ કે ગરાળા ક્ષત્રિયોનું તે દીનાચરણ તેના ગર્વને અને ધર્મને નાશ કરનાર છે. ૩૦૭
૦ આ નીતિયુક્ત ભારત વર્ષની પ્રજા વતી હોત તો આજે અયીવત પરતંત્રતાને પામત નાહિ; ખેદની વાર્તા આ છે કે બ્રામણે શબ્દબાણમાં શરા હતા, પણ કાર્ય કરવે મોળા હતા.
For Private And Personal Use Only