________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુકનીતિ.
બ્રાહ્મણ સભાસદોની સાથે રહેલા રાજાઓએ, (નિર્ણય નિવેદન કરતી વેળાએ) વાદીને યથોચિત માન આપીને આરંભમાં શાંત કરવો અને પછી પોતાનો ધર્મ બજાવ. ૫૯
काले कार्यार्थिनं पृच्छेत्प्रणतं पुरतः स्थितम् ।
किं कार्य का च ते पीडा मा भैषी बेहि मानव! ॥६॥ રાજાએ, સમય ઉપર પ્રણામ કરીને આગળ ઉભેલા વાદીને પ્રશ્ન કર કે, હે ભાઈ ! તારે શું કામ છે ? તુને શું દુઃખ થયું છે ? ડરીશ માં (કાર્યો હોય તે કહે. ૬૦
केन कस्मिन्कदा कस्मात्पीडितोऽसि दुरात्मना । एवं पृष्टा स्वभावोक्तं तस्य संश्रृणुयाद्वचः ॥ ६१ ॥ તને કઈ જગ્યામાં, કયારે, કયે વખતે, ક્યા દુષ્ટ, શામાટે પીડા કરી છે. આ પ્રમાણે વાદીને પ્રશ્ન કરીને, તેનું સ્વાભાવિક વચન સાંભળવું-કાલ્પનિક વચન ઉપર ભરોસે રાખવો નહીં. ૬૧ __ प्रसिद्धलिपिभाषाभिस्तदुक्तं लेखको लिखेत् ।। ६२ ॥
વાદી બોલે તે લેખકે પ્રસિદ્ધ લીપીમાં તથા પ્રસિધ્ધ ભાષામાં લખી લેવું. ૬૨
अन्यदुक्तं लिखेदन्यद्योऽर्थिप्रत्यर्थिनां वचः । चौरवत्रासयेद्वाजा लेखकं द्रागतन्द्रितः ॥ ६३ ॥ જે લેખક, વાદી તથા પ્રતિવાદીઓના બોલવાને ઉલટી રીતે લખે છે તે લેખકને, આળસ રહિત રાજાએ ચોરની પેઠે ઝટ શિક્ષા કરવી. ૬૩
लिखितं तादृशं सभ्या न विब्रूयुः कदाचन ।
बलादहन्ति लिखितं दण्डयेत्तांस्तु चौरवत् ॥ ६४ ॥ સભાસદે પણ કોઈ દિવસ તેવા જુઠા લેખને ટેકો આપવો નહિ, જે સભાસદે તેવાં ખાટાં લખાણને બળાત્કારે સ્વીકાર કરે તો, રાજાએ તેએને ચારની પેઠે શિક્ષા કરવી. ૬૪
प्राडिवाको नृपाभावे पृच्छेदेवं सभागतम् ॥ १५ ॥ રાજા ન્યાયસભામાં આવ્યો ન હોય ત્યારે, ન્યાયાધીશે, ન્યાયસભામાં આવેલા વાદીને ઉપર પ્રમાણે પ્રશ્ન કરવાં. ૬૫
वादिनौ पृच्छाति प्राडा विवाको विविनत्यतः। विचारयति सम्यैर्वा धर्माधर्मान्विवक्ति वा ॥६६॥
For Private And Personal Use Only