SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુક્રનીતિ. રાજ્ય કરીને અશોકવનને નાશ કર્યો હતો અને દુધનનું દેવ પણ જ્યારે પ્રતિકૂળ હતું ત્યારે ભીષ્મ જેવા જેને સહાય કરનારા હતા એવા દુધનને અને પરાજય કરી ને વિરાટ રાજાની ગાયો પાછી વાળી આપી હતી. આ ઉપર જણાવેલા દૃષ્ટાંતમાં રામને, હનુમાનને અને વિરાટ રાજાને દૈવ અનુકૂળ હતું એમ સ્પષ્ટ જણાય છે. જ્યારે દેવ અનુકૂળ હોય છે ત્યારે થોડા પુરૂષાર્થમાં પણ કાર્ય સિદ્ધિ થાય છે; પરંતુ જયારે દૈવ પ્રતિકૂળ હોય છે ત્યારે ઘણો પુરૂષાર્થ કરે તો પણ માઠું ફળ મળે છે. દ્રષ્ટાંતમાં જેમ બલિરાજા અને હરિશ્ચંદ્ર રાજાએ દાન કર્યા છતાં પણું ઉલટા તેઓ કેદમાં પડયા. ૫૬-૫૭-૫૮ भवतीष्टं सक्रिययानिष्टं तद्विपरीतया ।। રાત્રિત: સંજ્ઞાવા સત્ સત્ સમાવત્ / ૧૭ છે. ઉત્તમ પુરૂષાર્થ કરવાથી ઉત્તમ ફળ મળે છે અને અધમ પુરૂષાર્થ કરવાથી અનિષ્ટ ફળ મળે છે; માટે નીતિશાસ્ત્રદ્વારા કાર્યકાર્યને વિચાર કરીને અસત્ય માર્ગનો ત્યાગ કર અને સત્ય માર્ગમાં આચરણ કરવું. ૫૯ कालस्य कारणं राजा सदसत्कर्मणस्त्वतः । स्वकार्योद्यतदण्डाभ्यां स्वधर्मे स्थापयेत् प्रजाः ॥६॥ કાળમાં ફેરફાર થવાનું કારણ રાજા છે કારણ કે રાજા જ્યારે પિતાના ઘમસન ઉપર બેસીને રાજકાર્ય તપાસે છે ત્યારે સત્યયુગ વ છે. જયારે સાધારણ રીતે રાજ્ય કાર્યને તપાસ કરે છે ત્યારે ત્રેતાયુગ વિત્ત છે. જ્યારે બીલકુલ રાજ્યકાર્ય તરફ લક્ષ આપતો નથી ત્યારે દ્વાપરયુગ વસે છે. અને જ્યારે રાજ્ય ચિંતા છોડીને નિદ્રા કરે છે ત્યારે કળિ વ છે. આ પ્રમાણે સારાનરતા કાળનો પ્રવર્તાવનારે રાજાજ ઠરે છે માટે રાજાએ પોતાના હાથમાં દૃષ્ટિ રાખીને પુરૂષાર્થ તથા દંડનો ઉપયોગ કરીને પિતાની પ્રજાને સ્વધર્મમાં ચલાવવી ઉચિત છે. ૬૦ રાજ્યનાં સાત અંગ. स्वाम्यमात्यसुहृत्कोशराष्ट्रदुर्गबलानि च । सप्ताङ्गमुच्यते राज्यं तत्र मूर्द्धा नृपः स्मृतः ॥ ६१ ॥ हगमात्यः सुहृच्छोत्रं मुखं कोशो बलं मनः । हस्तौ पादौ दुर्गराष्ट्रौ राज्याङ्गानि स्मृतानि हि ॥ ६२ ॥ ૧ રાજા, ૨ મંત્રી, ૩ મિત્ર, ૪ ભંડાર, ૫ દેશ-પ્રજાવ, ૬ દગ, (કિલ્લા ખાઈ વિગેરે) અને ૭ સેના આ સાત રાજ્યનાં અંગ કહેવાય છે તેમાં રાજાને રાજ્યના મસ્તકને ઠેકાણે જાણ, મંત્રીને નેત્ર જાણ, મિત્રને કાન જાણવા, ભંડારને મુખ માનવું. સેનાને મન જાણવું. દુર્ગ રચના For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy