________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ. नानुवाकहता बुद्धिर्व्यवहारक्षमा भवेत् । અનુવીરતા થા તુ ન HT સર્વત્રગામિની ૨૮૬ છે.
જે બુધિ, વેદોના અનુવાકે (જુદા જુદા વિભાગો) વાચીને કલેશ પામી લાચ તે બુદ્ધિ વ્યવહાર ચલાવવાને સમર્ચ થઈ શકતી નથી. કારણ કે અવાક વાંચવાથી કલેશ પામેલી બુદ્ધિ, સર્વ વિષયમાં કુશળ થતી નથી. (તાત્પર્ય કે વેદિયાં ઢોરે વ્યવહાર ચલાવવાને શક્તિમાન થતાં નથી.) ૨૮૧
आदौ वरं निर्धनत्वं धनिकत्वमनन्तरम् । तथादौ पादगमनं यानगत्वमनन्तरम् । सुखाय कल्पते नित्यं दुःखाय विपरीतकम् ॥ २८२ ॥
પ્રથમ અવસ્થામાં નિધનપણું સુખકર છે અને વૃધ્ધાવસ્થામાં ધનવંતપણું સુખકર છે. પ્રથમ અવસ્થામાં પગે ચાલીને હરવું ફરવું સુખકર છે, અને ઉતરતી વયમાં વાહનપર બેસીને ફરવું તે સુખકર છે. તેમજ પ્રથમ અવસ્થામાં ધનવાન પણું અને ઉતરતી અવસ્થામાં નિધનપણું, તેમજ પ્રથમ અવસ્થામાં વાહન ઉપર બેસીને કરવું અને પાછળની અવસ્થામાં પગે હીંડવું એ અત્યંત દુઃખકર છે. ૨૮૨
वरं हि त्वनपत्यत्वं मृतापत्यवतः सदा । दुष्टयानात्पादगमो ह्यौदासीन्यं विरोधतः ॥ २८३ ॥
જેને પુત્ર અવતરીને મરણ પામ્યા હોય, તેવા મનુષ્ય કરતાં નિત્ય વાંઝીયાપણું સારૂં; હલકાં વાહન ઉપર બેસીને ફરવા કરતાં પગે ચાલીને ફરવું તે સારું અને વિરોધ કરવા કરતાં ઉદાસીન રહેવું તે સારૂં. ર૮૩
वरं देशाच्छादनतश्चर्मणा पादगृहनम् । ज्ञानलवदौर्विदग्ध्यादज्ञता प्रवरा मता ॥ २८४ ॥
આખા દેશને ઢાકવા કરતાં પોતાના પગને જ ચામડાથી ઢાંક્વા (જેડા પહેરવા) તે સારૂં; અને અલ્પજ્ઞાનથી સંપાદન કરેલી ચતુરાઈ કરતાં મૂર્ણતાને શ્રેષ્ઠ માનેલી છે. ર૮૪
परगृहनिवासाध्धरण्ये निवसनं वरम् । प्रदुष्टभार्यागार्हस्थ्याद्रेक्ष्यं वा मरणं वरम् ॥ २८५ ॥
પરઘેર રહેવા કરતાં અરણયમાં રહેવું તે સારૂં તથા અત્યંત દુષ્ટ ભાવાળા ગૃહસ્થાશ્રમ કરતાં ભક્ષા માંગીને ખાવું અથવા મરી જવું તે સારૂં. ૨૮૫
For Private And Personal Use Only