SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શકીલ. જે મનુષ્ય કાર્યના ફળનું પરિણામ જાણયા વિના તેને માટે પ્રયત્ન કરે છે તેને સાહસી જાણો અને તે મનુષ્ય તેવા કાર્યથી અથવા તેના ફળથી દુખને પામે છે. ૭૨ महत्कालेनाल्पकर्म चिरकारी करोति च । स शोचत्यल्पफलतों दीर्घदर्शी भवेदतः ॥ ७३ ॥ દીધસૂત્રી મનુષ્ય નાનું કામ પણ લાંબે દિવસે પુરૂં કરે છે, જેથી તેને કાયનું ફળ શેડું મળે છે અને તે પસ્તાય છે; માટે મનુષ્ય દીદશી થવું જોઈએ. ૭૩ सफलं तु भवेत्कर्म कदाचित्सहसा कृतम् । निष्फलं वापि प्रभवेत्कदाचित्सुविचारितम् ॥ ७४ ॥ કેઈ વેળા ઉતાવળે કરેલું કામ પણ સારૂં ફળ આપે છે અને કોઈ વેળા વિચારપૂર્વક કરેલું કામ પણ નિષ્ફળ નિવડે છે. ૭૪ तथापि नैव कुर्वीत सहसानर्थकारि तत् ।। कदाचिदपि सञ्जातमकार्यादिष्टसाधनम् ॥ ७५ ॥ શીઘ્રતાથી કરેલું કામ સિદ્ધ થયું હોય તે પણ કોઈ દિવસ ઉતાવળે કામ કરવું જ નહીં; કારણ કે તેનાથી અનર્થ થાય છે તેમજ કોઈ દિવસ અનિષ્ટ કાર્ય કરતાં મને રથ સિદ્ધિ થાય તે ઉપરથી નીચ કાર્ય પણ કરવું નહીં. ૭૫ यदानष्टं तु सत्कार्यान्नाकार्यप्रेरकं हि तत् ॥ ७६ ॥ તેમજ, સત્કાર્ય કરતાં કદાપિઅનર્થ ઉત્પન્ન થાય તો પણ તે સત્કાર્યને અનર્થકારક જાણવું નહીં. ૭૬ भत्यो भ्रातापि वा पुत्रः पत्नी कुर्यान्न चैव यत् । विधास्यन्ति च मित्राणि तत्कार्यमविशंकितम् ॥ ७७ ॥ જે કાર્ય, સેવક, ભાઈ, પુત્ર અને સ્ત્રી કરી શક્તાં નથી તે કામિ નિર્ભયતાથી પાર પાડે છે. ૭ यो हि मित्रमविज्ञाय याथातथ्येन मन्दधीः । मित्रार्थे योजयत्येनं तस्य सोऽर्थोऽवसीदति ॥ ७८ ॥ જે મૂઢબુદ્ધિ મનુષ્ય, મિત્રને અભિપ્રાય યથાર્થ રીતે સમજ્યા વિના, મિત્રને માટે કોનિ આરંભ કરે છે, તેનું તે કામ નાશ પામે છે અર્થાત "ભિપ્રાય સમજ્યા વગર કોઈને માટે કાર્યનો આરંભ કરવે નહીં. ૮ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy