SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુક્રનીતિ. રાજાને પ્રીતિકર, સાય, હિતકારક, અને ધર્મ તથા અર્વેમાં વૃદ્ધિ કરનારાં વચન નિરંતર કહેવા, તથા માન સહિત સદૂધ વાર્તાઓ કહીને રાજાને તેના હિતને નિય ઉપદેશ કરવો. રરર कीर्तिमन्यनुपाणां वा वदेनीतिफलं तथा । दाता त्वं धार्मिकः शूरो नीतिमानसि भूपते! ।। २२३ ॥ अनीतिस्ते तु मनसि वर्त्तते न कदाचन । ये ये भ्रष्टा अनीत्या तांस्तदने कीर्तयेत्सदा ॥ २२४ ॥ બીજા રાજાઓની કીર્તિ અથવા નીતિનાં ફળે રાજાની આગળ કહેવાં, અને કહેવું, કે હે રાજ તમે દાતા, ધાર્મિક શરીર અને ન્યાયી છો, તમારા મનમાં કોઈપણ દિવસ અન્યાય તે છેજ નહીં.” આ પ્રમાણે કહ્યા પછી, જે જે રાજાઓ અનીતિથી રાજ્યભ્રષ્ટ થયા હોય તે સઘળા રાજાઓની કથાઓ રાજાની આગળ હંમેશાં કરવી. ૨૨૪ नृपेभ्यो ह्यधिकोऽसीति सर्वेभ्यो न विशेषयेत् । परार्थं देशकालज्ञो देशे काले च साधयेत् ॥२२५ ॥ તમે સર્વ રાજાઓ કરતાં શ્રેષ્ઠ છોઆમ કહીને રાજાને ચઢાવ નહીં; પરંતુ દેશ તથા કાળનું સ્વરૂપ જાણનારા સેવકે, દેશાચિત તથા કાળાચિત વિચાર કરી બીજાનાં કામ સાધવાં. ૨૫ परार्थनाशनं न स्यात्तथा ब्रूयात्सदैव हि । ન વાપયેત્રનમિષત નૃપ મા |૨૨ . રાજસેવકે હંમેશાં એવું બોલવું કે જે બેલવાથી બીજાના કામમાં હાની થાય નહીં તથા કોઇપણ કામમાં પ્રજાના કામનું નિમિત્ત કાઢીને - રાજાને નિરંતર ઉદાસ કરશે નહીં. ૨૨૬ अपि स्थाणुवदासीत शुष्यन्परिगतः क्षुधा । ન વાનર્થસં૫ન્નાં વૃત્તિમદેત પડતઃ | ૨૨૭ છે. પંડિત મનુષ્ય, સુધાથી પીડાતા હોય, તથા ક્ષુધાના પરાભવથી અતિ દુર્બળ થઈ ગયો હોય, તો પણ તેણે શુષ્ક વૃક્ષની માફક સ્થિર થઈને ટેકમાં રહેવું, પરંતુ અનોત્પન આજીવિકાની ઈચ્છા કરવી નહીં. ૨૨૭ यत्का> यो नियुक्तः स भूयात्तत्कार्यतत्परः । नान्याधिकारमन्विच्छेन्नाभ्यसूयेच्च केनचित् ॥ २२८ ॥ જે મનુષ્યની જે કામ ઉપર નિમણુક કરવામાં આવી હોય તેણે તે કામ કરવાને તત્પર રહેવું, પરંતુ કોઇએ બીજાના અધિકારની આશા રાખવી નહીં, તેમ કોઈને વૈષ પણ કરવો નહીં. ૨૨૮ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy