________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મા અને વિષ્ણુના પ્રયત્ન
અહીં સુધી નવ શ્લોકોમાં ઈશ્વરની સ્તુતિ કેવી રીતે કરવી તે સ્તુતિની સામગ્રી બતાવી. હવે સ્તુતિ કરવા તત્પર થયેલા વિષ્ણુ અને બ્રહ્માને પણ ઈશ્વરની કૃપાથી જ સાક્ષાત્કાર થયો હતો, એમ કહી ઈશ્વરનું અસીમ માહાભ્ય પ્રકટ કરતાં ગંધર્વરાજ સ્તુતિ કરે છે: तवैश्वयं यत्नाद् यदुपरि विरिचिहरिरधः परिच्छेत्तं यातावनलमनलस्कंधवपुषः ।। ततो भक्तिश्रद्धाभरगुरुगृणयां गिरिश यत् स्वयं तस्थे ताभ्यां तव किमनुवृत्तिर्न फलति ॥१०॥
હે કેલાસપતિ અગિન સમાન દેદીપ્યમાન શરીરવાળા(આપ)નું ઐશ્વર્ય માપવાનો પ્રયત્ન વડે બ્રહ્મા ઉપર અને વિષ્ણુ નીચે ગયા; પણ તેઓ તેમાં ફાવ્યા નહિ, ત્યારે અત્યંત ભકિત અને શ્રદ્ધા વડે સારી પેઠે સ્તુતિ કરતા તે બંનેને (પોતાનું સ્વરૂપ જણાવવા) તમે પોતે જ પ્રત્યક્ષ થયા. તમારી સેવા શું નથી ફળતી? બધું ફળે જ છે. ૧૦
હે શંકર! તેજતેજના અંબારરૂપ એવા તમારા સ્થૂળ સ્વરૂપને માપવા પ્રયત્ન વડે બ્રહ્માજી સત્યલોક સુધી ઊંચે ગયા અને શ્રીવિષ્ણુ પાતાળ સુધી નીચેના લોકમાં ગયા; પરંતુ તેઓની ગતિ કુંઠિત થઈ ગઈ (અટકી ગઈ). આપના સ્થૂળ સ્વરૂપને પણ તેઓ પાર પામી શક્યા નહિ. એમ આપના સ્થૂળ સ્વરૂપને પણ જો તેઓ
For Private and Personal Use Only