SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તત્ત્વાર્થદિમાં મતિજ્ઞાનને પરોક્ષજ્ઞાન કહ્યું છે. (૨) શ્રુતજ્ઞાન :- શાસ્ત્રાદિનાં શ્રવણથી કે વાંચનથી, શબ્દાર્થની પર્યાલોચનાવાળું, મન અને ઇંદ્રિયદ્વારા થતું જે જ્ઞાન તે શ્રુતજ્ઞાન કહેવાય. દા. ત. શ્રોસેન્દ્રિય દ્વારા ઘટ શબ્દ સાંભળ્યો ત્યારે, “માત્ર ઘટશબ્દ”નો જે બોધ થયો તે મતિજ્ઞાન થયું. ત્યાર પછી ઘટશબ્દ એ ઘટઅર્થ= પદાર્થનો વાચક છે. અને ઘટપદાર્થ એ ઘટશબ્દથી વાચ્ય છે. માટે ઘટ શબ્દનો ઘટપદાર્થની સાથે વાવાચકભાવસંબંધ છે. એવી વિચારણાવાળું, મન અને ઇન્દ્રિય દ્વારા થતું જે જ્ઞાન તે શ્રુતજ્ઞાન કહેવાય. શંકા - શાસ્ત્રમાં સર્વજીવોને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન કહ્યું છે. પરંતુ શ્રુતજ્ઞાન તો શબ્દશ્રવણાદિ અને વાવાચકભાવસંબંધની વિચારણા દ્વારા થતું હોવાથી શ્રોત્રેન્દ્રિય (કાન) અને મનવાળા જીવોને ઘટી શકે. પરંતુ શ્રોત્રેન્દ્રિય અને મન વિનાનાં એકેન્દ્રિયાદિ જીવોને શ્રુતજ્ઞાન કેવી રીતે ઘટી શકે ? સમાધાન :- શ્રોત્રેન્દ્રિય અને મનવિનાનાં એકેન્દ્રિયાદિ જીવોને પણ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે. કારણકે એકેન્દ્રિયાદિને રસનાદિ દ્રવ્યેન્દ્રિય નથી. પરંતુ ભાવેન્દ્રિય તો હોય જ છે. માટે તેને શ્રુતજ્ઞાનાવરણનાં ક્ષયોપશમજન્ય જૂદી જ જાતનું શ્રુતજ્ઞાન હોય છે. તેથી તેને આહારાદિ ગ્રહણનો અસ્પષ્ટ અધ્યવસાય થાય છે. A. આના ખુલાસા માટે જુઓ પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન નં. ૨૫. B. (૧) મધુર સંગીત સાંભળતાં વિરહાદિ વૃક્ષોમાં તુરત જ પુષ્પાદિ ઉત્પન્ન થાય છે. માટે એકેન્દ્રિયમાં શ્રવણેજિયનું ચિહ્ન સ્પષ્ટ જણાય છે. (૨) સુંદરીનાં નયનોનાં કટાક્ષથી તિલકાદિ વૃક્ષોમાં તુરત જ પુષ્પાદિ ઉત્પન્ન થાય છે. માટે ચક્ષુરિન્દ્રિયનું ચિહ્ન સ્પષ્ટ જણાય છે. (૩) સુગંધી નિર્મળ જળનાં સિંચનથી ચંપાદિવૃક્ષોમાં જલ્દીથી પુષ્પાદિ ઉત્પન્ન થાય છે. માટે ધ્રાણેન્દ્રિયનું ચિહ્ન સ્પષ્ટ જણાય છે. (૪) સુંદર સ્ત્રીનાં સ્વાદિષ્ટ જળનાં કોગળા દ્વારા બકુળાદિવૃક્ષોમાં કુસુમાદિ ઉત્પન્ન થાય છે. માટે રસનેન્દ્રિયનું ચિહ્ન સ્પષ્ટ જણાય છે. આ રીતે, એ કેન્દ્રિયમાં રસનેન્દ્રિયાદિ દ્રવ્યેન્દ્રિયનો અભાવ છતાં ભાવેન્દ્રિયજન્ય જ્ઞાન લોક પ્રસિદ્ધ છે. માટે એકેન્દ્રિયાદિમાં રસનાદિ દ્રવ્યેન્દ્રિય નથી પરંતુ ભાવેન્દ્રિય તો હોય જ છે. માટે તથાવિધ શ્રુતજ્ઞાનાવરણનાં ક્ષયોપશમજન્ય જ્ઞાન ઘટી શકે છે. ૪૩ For Private and Personal Use Only
SR No.020577
Book TitlePratham Karmagranth Karmavipak
Original Sutra AuthorN/A
AuthorHarshagunashreeji
PublisherOmkar Sahitya Nidhi
Publication Year1995
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy