________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે અનંત વર્ગણાનાં એક વિભાગને “તૈજસશરીર અને ભાષાને માટે અગ્રહણયોગ્ય નવમી મહાવર્ગણા” કહેવાય છે.
ત્યારબાદ અનંતી વર્ગણામાં રહેલાં સ્કંધો જીવને ભાષા બોલવા), માટે ઉપયોગી થતા હોવાથી જીવને જ્યારે બોલવું હોય ત્યારે તે સ્કંધોને ગ્રહણ કરે છે માટે તે અનંતીવર્ગણાનાં એક વિભાગને, “ભાષાને માટે ગ્રહણ યોગ્ય દસમી મહાવર્ગણા” કહેવાય છે.
* ત્યાર બાદ, અનંતી વર્ગણામાં રહેલાં સ્કંધો જીવને ભાષા અને શ્વાસોચ્છવાસને માટે ઉપયોગી બનતાં ન હોવાથી જીવ તેને ગ્રહણ કરતો નથી. માટે તે અનંતવર્ગણાનાં એક વિભાગને “ભાષા અને શ્વાસોચ્છવાસને માટે અગ્રહણયોગ્ય અગિયારમી મહાવર્ગણા” કહેવાય.
- ત્યારબાદ અનંતી વર્ગણામાં રહેલાં સ્કંધો જીવને શ્વાસોચ્છવાસને માટે ઉપયોગી બનતાં હોવાથી જીવને જ્યારે શ્વાસોચ્છવાસ લેવો મૂકવો હોય ત્યારે તે સ્કંધોને ગ્રહણ કરે છે. માટે તે અનંતીવર્ગણાનાં એક વિભાગને, “શ્વાસોચ્છવાસને માટે ગ્રહણ યોગ્ય બારમી મહાવર્ગણા કહેવાય છે.”
ત્યારબાદ અનંતી વર્ગણામાં રહેલાં સ્કંધો જીવને શ્વાસોચ્છવાસ અને મનને માટે ઉપયોગી બનતાં ન હોવાથી જીવ તેને ગ્રહણ કરતો નથી. માટે તે અનંત વર્ગણાનાં એક વિભાગને, “શ્વાસોચ્છવાસ અને મનને માટે અગ્રહણયોગ્ય તેરમી મહાવર્ગણા” કહેવાય.
ત્યારબાદ અનંતી વર્ગણામાં રહેલાં સ્કંધો જીવને મનન- ચિંતન કરવા માટે ઉપયોગી બનતાં હોવાથી જીવ તે સ્કંધોને ગ્રહણ કરે છે. માટે તે અનંત વર્ગણાનાં એક વિભાગને, “મનને માટે ગ્રહણયોગ્ય ચૌદમી મહાવર્ગણા” કહેવાય.
ત્યારબાદ અનંતીવર્ગણામાં રહેલાં સ્કંધો જીવને મન અને કર્મને માટે ઉપયોગી બનતાં ન હોવાથી જીવ તેને ગ્રહણ કરતો નથી. માટે તે અનંતવર્ગણાનાં એક વિભાગને, “મન અને કર્મને માટે અગ્રહણયોગ્ય પંદરમી મહાવર્ગણા” કહેવાય.
ત્યારબાદ અનંતી વર્ગણામાં રહેલા સ્કંધો જીવને કાર્મણશરીર અથવા જ્ઞાનાવરણીયાદિ કર્મબંધને માટે ઉપયોગી બનતાં હોવાથી જીવ તેને
૧૪
For Private and Personal Use Only