________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજી મહાવર્ગણાગત તમામ સ્કંધો જીવને દારિક શરીર બનાવવા માટે ઉપયોગી થતા હોવાથી તેને “ઔદારિક શરીરને માટે ગ્રહણ યોગ્ય બીજી મહાવર્ગણા” કહેવાય છે.
ત્યારબાદ એકેક પરમાણુ અધિક હોય એવા સ્કંધોનાં સમૂહરૂ૫ પહેલી, બીજી, ત્રીજી, એમ અનંત વર્ગણા હોય છે. એ વર્ગણાગત સ્કંધો જીવને ઔદારિક શરીર અને વૈક્રિયશરીર બનાવવા માટે ઉપયોગી બનતાં ન હોવાથી તે સ્કંધોને જીવ ગ્રહણ કરતો નથી. માટે એ અનંત વર્ગણાના એક વિભાગને “ઔદારિક શરીર અને વૈક્રિયશરીરને માટે અગ્રહણ યોગ્ય ત્રીજી મહાવર્ગણા” કહેવાય છે.
ત્યારબાદ અનંતી વર્ગણામાં રહેલાં સ્કંધો જીવને વૈક્રિયશરીર બનાવવા માટે ઉપયોગી થતા હોવાથી તે અનંતવર્ગણાનાં એક વિભાગને “વૈક્રિયશરીરને માટે ગ્રહણ યોગ્ય ચોથી મહાવર્ગણા” કહેવાય છે.
ત્યારબાદ અનંતી વર્ગણામાં રહેલાં સ્કંધો જીવને વૈક્રિયશરીર અને આહારક શરીર બનાવવા માટે ઉપયોગી બનતાં ન હોવાથી જીવ તે સ્કંધોને ગ્રહણ કરતો નથી માટે તે અનંતવર્ગણાનાં એક વિભાગને, “વૈદિયશરીર અને આહારકશરીરને માટે અગ્રહણયોગ્ય પાંચમી મહાવર્ગણા” કહેવાય છે. - ત્યારબાદ અનંતી વર્ગણામાં રહેલાં સ્કંધો જીવને આહારકશરીર બનાવવા માટે ઉપયોગી થતા હોવાથી, તે અનંત વર્ગણાનાં એક વિભાગને, “આહારક શરીરને માટે ગ્રહણયોગ્ય છઠ્ઠી મહાવર્ગણા” કહેવાય છે..
ત્યારબાદ અનંતી વર્ગણામાં રહેલાં સ્કંધો જીવને આહારકશરીર અને તૈજસ શરીર બનાવવા માટે ઉપયોગી બનતાં ન હોવાથી જીવ તેને ગ્રહણ કરતો નથી માટે તે અનંતવર્ગણાનાં એક વિભાગને, “આહારકશરીર અને તૈજસશરીરને માટે અગ્રહણયોગ્ય સાતમી મહાવર્ગણા” કહેવાય છે - ત્યારબાદ અનંતીવર્ગણામાં રહેલાં સ્કંધો જીવને તેજસશરીર બનાવવા માટે ઉપયોગી થતા હોવાથી તે અનંતવર્ગણાનાં એકવિભાગ ને, “તૈજસ શરીરને માટે ગ્રહણયોગ્ય આઠમી મહાવર્ગણા” કહેવાય છે.
ત્યારબાદ અનંતી વર્ગણામાં રહેલાં સ્કંધો જીવને તેજસશરીર અને ભાષાને માટે ઉપયોગી બનતાં ન હોવાથી જીવ તેને ગ્રહણ કરતો નથી માટે
S
For Private and Personal Use Only