________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) બે વિગેરે પરમાણુઓ પરસ્પર જોડાઈને જે જથ્થો બને તે દ્વિપ્રદેશી વિગેરે
સ્કંધ કહેવાય. (૩) સંખ્યાની દૃષ્ટિએ સરખા પરમાણુવાળા કાર્મણસ્કંધોનાં સમૂહ (વર્ગ)ને
“વર્ગણા” કહેવાય.
વિશ્વમાં એકેક છૂટા પરમાણુઓ અનંત છે. એ અનંત છૂટા પરમાણુઓનાં સમૂહ (વર્ગ)ને “પહેલી વર્ગણા” કહેવાય.
વિશ્વમાં દ્વિપ્રદેશમસ્કંધો પણ અનંતા છે. એ અનંતઢિપ્રદેશીસ્કંધના સમૂહને બીજી વર્ગણા” કહેવાય. આ રીતે ત્રિપ્રદેશમસ્કંધનાં સમૂહને “ત્રીજી વર્ગણા” કહેવાય. સંખ્યાતપ્રદેશી સ્કંધના સમૂહને “સંખ્યાતમી વર્ગણા” કહેવાય. અસંખ્યાતપ્રદેશી સ્કંધના સમૂહને “અસંખ્યાતમી વર્ગણા” કહેવાય. અનંતપ્રદેશી સ્કંધના સમૂહને “અનંતમી વર્ગણા” કહેવાય.
પહેલી વર્ગણાથી માંડીને અનંતમી વર્ગણા સુધીની તમામ વર્ગણાનો એક વિભાગમાં સમાવેશ કરીને તેને “પ્રથમ મહાવર્ગણા” કહેવાય છે.
પ્રથમ મહાવર્ગણાગત સ્કંધો જીવને કોઈપણ રીતે ઉપયોગી બનતાં ન હોવાથી તે સ્કંધોને જીવ ગહણ કરતો નથી માટે તેને “અગ્રહણયોગ્ય પ્રથમ મહાવર્ગણા” કહેવાય છે. મહાવર્ગણાની અંદર રહેલી અનંતી વર્ગણાને પેટાવર્ગણા કહે છે.
- પ્રથમ મહાવર્ગણા પૈકી છેલ્લી પેટા વણાગત સ્કંધોમાં એક પરમાણુ ઉમેરવાથી અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધરાશિનાં અનંતમા ભાગ પ્રમાણ પરમાણુનાં બનેલાં સ્કંધો જીવને ઔદારિકશરીર બનાવવા માટે ઉપયોગી બનતા હોવાથી જીવ તે સ્કંધોને ગ્રહણ કરી શકે છે માટે અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધરાશિના અનંતમાં ભાગ જેટલી સંખ્યાવાળા પરમાણુના બનેલા સ્કંધોનાં સમૂહ (વર્ગ)ને ઔદારિક શરીરને માટે ગ્રહણ યોગ્ય પ્રથમ વર્ગણા કહેવાય. આ રીતે એકેક પરમાણુ અધિક હોય એવા સ્કંધોના સમૂહની બીજી-ત્રીજી એમ અનંતવર્ગણા હોય છે.
ઔદારિક શરીરને માટે ગ્રહણ યોગ્ય પ્રથમ વર્ગણાથી માંડીને ઔદારિક શરીરને માટે ગ્રહણ યોગ્ય છેલ્લી વર્ગણા સુધીની અનંતવર્ગણાઓનો સમાવેશ એક વિભાગમાં કરીને તેને “બીજી મહાવર્ગણા” કહેવાય છે.
૧૨
For Private and Personal Use Only