________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦ રૂ. ભાર આદુ.
૩૦ રૂ. ભાર લીલાં મરચાં. ૩૦ રૂ. ભાર મીઠું તેલ. ૩૦ રૂ. ભાર લીલા મરચાં.
સે કાગદી લિંબુ ઉના પાણીમાં એક કલાક રાખીને પછી વીસ મિનિટ સૂધી વા ખાતાં મૂકવાં. આ પ્રમાણે સૂકાયા પછી તેની દીટાં સૂધી ચાર ચરિયે કરવી. પછી પોણાબશેર મીઠું સવા એકત્રીસ રૂપિયા ભાર મેથીને ભૂક, સાડાસાત રૂપિયા ભાર લાલ ખાંડેલાં મરચાં, ત્રીસ રૂપિયા ભાર આદાના ઝીણી કકડા અને તેટલાં જ લીલાં મરચાંના કકડા, આ સર્વ જણસે એકઠી કરી તે મસાલો ઉપરના લિંબુમાં ભરવું. પછી તે લિંબુ ઍક માટલામાં ભરી તેમાં વધેલે મસાલે નાખી દે. પછી આ અથાણું ઉપર ત્રીસ રૂપિયા ભાર મીઠું તેલ, અને તેટલાં જ લીલાં મરચાં નાખી, માટલાનું મોં બંધ કરવું અને તે માટલું આઠ આઠ દિવસે તડકે મૂકવું. લિંબુ અથાય એટલે તે ખાવામાં લેવાં.
બીજે પ્રકાર. ૩૦ કાગદી લિબુ. ૩૦ રૂ. ભાર ઘી. ૪ રૂ. ભાર લાલ ખાંડેલાં ૪ રૂ. ભાર મેથીને ભૂકે. મરચાં.
૯ રૂ. ભાર મીઠું. ત્રીસ કાગદી લિંબુને ઉના પાણીમાં એક કલાક રાખીને પછી વીસ મિનિટ સુધી વા ખાતાં મૂકવાં. પછી ત્રીસ રૂપિયા ભાર ઘી ચૂલા ઉપર પેણીમાં મૂકી, ઘી કકડે એટલે તેમાં ઉપરનાં લિંબુ તળી કાઢવાં, અને તેનાં દટાં સૂધી બબ્બે ચીરિયાં કરવાં. પછી સાડાચાર રૂપિયા ભાર લાલ ખાંડેલાં મરચાં અને ચાર રૂપિયા ભાર મેથીને ભૂકે ઉપરના તળેલા ઘીમાં સાંતળી કાઢી, તે મસાલામાં નવ રૂપિયા ભાર મીઠું નાખી ઉપરના લિંબુમાં ભરવું. પછી આ અથાણું એક કલાઈના વાસણમાં ભરી મૂકવું, અને અથાય એટલે તે ખાવામાં લેવું.
For Private and Personal Use Only