________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૩) આમળાં નાખી ચૂલા ઉપર બાફવા મૂક્યાં. સુમારે એક કલાક પછી એક આમળાને કાઢીને જેવું. તે આંગળીથી દબાવાય એવાં થયેથી બધાં આમળાં કાઢીને ઠંડા પાણીમાં નાખી તે છુંદાઈ ન જાય એવી રીતે હળવેથી ધોવાં. પછી દરેક આમળાના ચાર કકડા કરી અંદરના ઠળિયા કાઢી નાખવા.
એકવીસ રૂપિયા ભાર રાઈ, સાડા સાત રૂપિયા ભાર મેથી, છછ રૂપિયા ભાર જીરૂં, સૂકાં મરચાં તથા મરી, અને ત્રણ રૂપિયા ભાર હળદર, એ સઘળી ચીજો પચીસ રૂપિયા ભાર મીઠા તેલમાં જાદી જૂદી સાંતળી એકઠી કરી તેને ખાંડી ભૂકો કરો. પછી તેમાં ત્રણ શેર છત્રીસ રૂપિયા ભાર મીઠું મેળવી, તેઉપરનાં આમળાંમાં ભેળવો.
ચૂલા ઉપર એક મોટું કલાઈવાળું તપેલું મૂકી તેમાં નવ રૂપિયા ભાર ઘી અને એક્વીસ રૂપિયા ભાર મીઠું તેલ નાખી તે કકડતાં વાર તેમાં દેઢ રૂપિયા ભાર જીરૂં, તેટલીજ મેથી, બે મૂઠી મીઠા લિંબડાનાં પાંદડાં, ત્રણ રૂપિયા ભાર છોલેલું લસણ અને દેઢ માસો હિંગ નાખવી. વઘાર થાય એટલે તેમાં ઉપરનાં આમળાં નાખી દેઈ ઉપર વાસણ ઢાંકી દેવું. વળકે વળે એટલે તે અથાણું બરણીમાં ભરી દઈ માં બંધ કરી તે આઠ દિવસ સુધી તડકામાં સૂકવી. અને પછી તેને ઉપયોગ કરે. આ અથાણુથી પિત્ત બેશી જાય છે.
પ.કાગદી લિંબુનું અથાણું.
પહેલો પ્રકાર ૧૦૦ કાગદી લિંબુ.
ના શેર મીઠું. ૩૧ રૂ. ભાર મેથીને ભૂકે. છા રૂ.ભાર લાલ મરચાં. ૧ gવીર જાણ કર્યા. (માહી).
For Private and Personal Use Only