________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૭)
રૂપિયા ભાર ઘી નાખી, તે કકડે એટલે તેમાં છ માસા અડદની દાળ અને ચાર માસા કચરેલુ લસણ નાખી, તે લાલ થાય એટલે એ માસા રાઈ, એક માસા જીરૂ, એ માસા મીઠા લિખડાનાં પાંદડાં અને ચાર ગુજા હિંગ, એ જણુસા નાખી કડછીથી હુલાવી, વઘાર થતાંજ તેમાં ઉપરના સાર રેડી દેવેા; અને ઉભરા આવવા લાગે એટલે તેમાં ચાર માસા કેાથમીર નાખી વાસણ નીચે ઉતારવું.
મીજો પ્રકાર.
ઉપર જણાવેલી આમલી અને મીઠુ· નાખ્યા પહેલાં ઉપર કહ્યા પ્રમાણે સર્વે જણુસા નાખી સાર તૈયાર કરવા. પછી તેમાં દોઢ રૂપિયા ભાર આમલી સાડાબાર રૂપિયા ભાર પાણીમાં ચાળી તેનુ' પાણી સારમાં રેડી તેમાં સવા રૂપિયા ભાર મીઠું નાખવું. પછી તેને ચૂલાપર મૂકી એક ઉભરા આવે એટલે વાસણ નીચે ઉતારી લેવુ', અને એક બીજું વાસણ ચૂલાપર મૂકવું; અને તેમાં દોઢ રૂપિયા ભાર ઘી નાખી, તે કડે એટલે તેમાં છ માસા અડદની દાળ અને ચાર માસા કરેલું લસણ નાખી, તે લાલ થાય એટલે એ માસા રાઇ, એક માસા જીરૂ, બે માસા મીઠા લિખડાના પાંદડાં અને અડધા માસે હિ‘ગ, એ જણુસા નાખી કડછીથી હલાવી, વઘાર થાય એટલે તેમાં સાર રેડી દેવા; અને એક ઉભરા આવે એટલે તેમાં ચાર માસા કેાથમીર નાખી વાસછુ નીચે ઉતારવું.
For Private and Personal Use Only