________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૮). ૬. કોલંબુ.
(મદ્રાસી રીતનું.)
૧. તળેલાં કેળાંનું કોળ. ૧૦ કાચાં કેળાં.
૧૫ રૂ. ભાર ઘી. ૨૦ સૂકાં મરચાં.
૯ માસા ધાણા. ૩ રૂ. ભાર આમલી.
૧ રૂ. ભાર મીઠું. ૧૦ રૂ. ભાર ઘી.
છા રૂ. ભાર લસણ.
૩૦ રૂ. ભાર કાંદા. દસ કાચાં કેળાંને છોલી નાખી તેના એક એક આંગળ જાડા કકડા કરવા. પછી તેને થોડો વખત પાણીમાં પલાળી સ્વચ્છ ઘઈ નાખવા. પછી ચૂલા ઉપર પણ મૂકી, તેમાં પંદર રૂપિયા ભાર ઘી નાખી તેમાં તે કકડા તળી કાઢવા. પછી વધેલા ઘીમાં વીસ સૂકાં મરચાં, તથા નવ માસા ધાણું, એ બે જણ જુદી જૂદી તળવી. અને તેને નિસા ઉપર વાટી તેને ભૂકો, ત્રણ રૂપિયા ભાર આમલીનું પાણી તથા દેઢ રૂપિયા ભાર મીઠું, એ ત્રણ રકમ એકઠી કરી તેમાં દોઢ શેર પાણી નાખી હલાવવું. - ચૂલા ઉપર એક કલાઈવાળું વાસણ મૂકી તેમાં દસ રૂપિયા ભાર ઘી નાખવું. ઘી કકડે કે તરત તેમાં સાડાસાત રૂપિયા ભાર છોલેલું લસણ તથા ત્રીસ રૂપિયા ભાર સમારેલા કાંદા નાખી લાલ થાય ત્યાં લગી હલાવવું. પછી તેમાં ઉપર કહેલા કેળાંના કકડા નાખી હલાવી તેમાં મસાલાનું પાણી રેડવું, અને નીચે તાપ કરો. છેડે વખત ઉકળ્યા પછી કેળબુ આંબટી જેવું થાય એટલે નીચે ઉતારવું.
For Private and Personal Use Only