________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
Nિ
SEA કપિલે તેની પાસે દીક્ષા લીધી, મરીચિએ ઉત્સુત્ર પ્રરૂપવાથી પોતાનો કોડાકોડી સાગરોપમ જેટલો સંસાર Aિ દ્વિતીય હિ. વધાર્યો. હવે તે કર્મને આલોચ્યા વિના ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય પાળી ત્યાંથી કાલ કરીને,
વ્યાખ્યાનમુ (૪) તે વીરપ્રભુનો જીવ ચોથા ભવમાં બ્રહ્મદેવલોકમાં દસ સાગરોપમની સ્થિતિવાળો દેવ થયો.
(૫) ત્યાંથી અવીને પાંચમા ભવમાં કોલ્લાક નામના ગામમાં એંશી લાખ પૂર્વના આયુષ્યવાળો કૌશિક નામે બ્રાહ્મણ થયો. વિષયમાં આસક્ત, દ્રવ્ય ઉપાર્જન કરવામાં તત્પર, અને હિંસાદિકમાં કુર હૃદયવાળો તે બ્રાહ્મણ ઘણો કાલ ગૃહસ્થવાસ ભોગવી, અંતે ત્રિદંડી થઈ, મૃત્યુ પામીને, ઘણા કાલ સુધી સંસારમાં ભમ્યો, તે ભવો સ્થૂલભવોમાં ગણ્યા નથી.
(૬) ત્યાંથી છકે ભવે ધૂણા નગરીમાં બોંતેર લાખ પૂર્વના આયુષ્યવાળો પુષ્પ નામે બ્રાહ્મણ થયો. તે અંતે ત્રિદંડી થઈ, મૃત્યુ પામીને.
(૭) સાતમે ભવે સૌધર્મ દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો.
(૮) ત્યાંથી એવીને આઠમે ભવે ચૈત્ય નામના ગામમાં સાઠ લાખ પૂર્વના આયુષ્યવાળો અગ્નિદ્યોત) નામે બ્રાહ્મણ થયો. અંતે ત્રિદંડી થઈ, મૃત્યુ પામીને.
(૯) નવમે ભવે ઈશાન દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો.
For Private and Personal Use Only