________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય વ્યાખ્યાનમુ
અવિરતિ હોવાથી તથા તેનો વેષ જુદો હોવાથી કોઈ સાધુઓએ તેનું વૈયાવચ્ચ કર્યું નહિ. ત્યારે તે વિચારવા લાગ્યો કે - “અરેરે ! ઘણા વખતના પરિચયવાળા પણ સાધુઓ મારી સારવાર કરતા નથી. પણ તેમાં મારો જ દોષ છે, હું અસંયમી છું, તેથી પોતાના શરીરની પણ મૂર્છા ન રાખનારા કૃતકૃત્ય થયેલા મહાત્મા સંયમી મુનિઓ અવિરતિ એવા મારી સારવાર કેમ કરે? માટે હવે હું નીરોગી થાઉં ત્યારે વૈયાવચ્ચ કરે એવો એકાદ શિષ્ય કરું જેથી આવે વખતે કામ આવે”. પછી મરીચિ અનુક્રમે નીરોગી થયો. એક દહાડો કપિલ નામે રાજપુત્ર તેનો ઉપદેશ સાંભળી પ્રતિબોધ પામ્યો, ત્યારે મરીચિએ કહ્યું કે - “કપિલ ! તું સાધુ પાસે જ, અને મોક્ષપદનો અદ્વિતીય હેતુ એવો મુનિમાર્ગ સ્વીકાર'. પણ કર્મના ઉદયને લીધે મુનિમાર્ગથી પરામુખ બનેલા કપિલે કહ્યું કે - “હું તો તમારી જ પાસે દીક્ષા લઈશ, જો મુનિમાર્ગ જ મોક્ષને હેતુ હોય તો તમે આ પરિવ્રાજકનો વેષ કેમ સ્વીકાર્યો ?' મરીચિએ કહ્યું કે – “કપિલ ! હું મુનિમાર્ગ પાળવાને અસમર્થ છું, મુનિઓ તો મન વચન અને કાયના દંડથી વિરત થયેલા હોય છે, હું તેવો નથી' ઇત્યાદિ પોતાની સત્ય હકીકત જણાવી. કપિલે કહ્યું – “સ્વામી ! શું તમારા મનમાં ધર્મ નથી જ'! ત્યારે મરીચિએ વિચાર્યું કે “ખરેખર, આ ભારે કર્મી હોવાથી જિનેન્દ્ર પ્રરૂપેલો સત્ય માર્ગ સ્વીકારતો નથી, માટે મારે જ શિષ્ય કરવો ઠીક છે, મારે યોગ્ય જ આ શિષ્ય મળી ગયો છે'. એમ વિચારી કહ્યું કે, “કવિલા! ઈત્યં પિ ઈહયં પિ- કપિલ ! જેમ જિનેશ્વરે પ્રરૂપેલા માર્ગમાં ધર્મ છે તેમ આ મારા માર્ગમાં પણ ધર્મ છે”. એવી રીતે મરીચિ ઉત્સુત્ર વાક્ય બોલ્યો. તે સાંભળી
નો
,
૭૫
For Private and Personal Use Only