________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેરાઈ દીક્ષાથી બનેલાઓને કેલાહલ બેટે છે અને એની અસર જૈન સંધમાં કાંઈજ થઈ નથી. લાખોની સંખ્યાવાળા સમાજમાં અત્યારે માત્ર ૬૦૦ લગભગ સાધુઓ વિદ્યમાન છે. એમાં છેલ્લાં ૫૦ વર્ષમાં સગીર વયે દીક્ષિત થનારા માત્ર ૮૨ સાધુઓ છે. આમાં આટલે ઘોંઘાટ થાય એને અર્થ શો ? છાપાંમાં એવી રીતે પ્રચાર થાય કે–જાણે રોજને રોજ બાળ વયની દીક્ષા, અને તે પણ શાસ્ત્રવિરૂદ્ધ રીતે થઈ રહી છે. તે પ્રચાર કેટલે ખોટો છે ? અને એ બેટ હોવાને કારણેજ જૈન સમાજમાંથી એને નજીવા ટેકો મળ્યો છે.૪ જ્યારે એને ઉગ્ર વિરોધ થયો છે.પ
આ બધી વસ્તુઓ આ પુસ્તકમાં યથાશકય એકત્રિત કરીને રજુ કરી છે. રજુ કરેલી સઘળી જુબાનીઓ ખાસ હાજર રહીને અમારી તરફથી લેવાએલી છે. અમે આ પુસ્તકમાં આ નિબંધ વિષે જાણવાજોગ બધું જ એકત્રિત કરવાનો માત્ર પ્રયાસ કર્યો છે. આથીજ આનું નામ “જન પ્રજામત દીપિકા એ રાખ્યું છે. અમારું માનવું છે કે-આના સાગપાંગ અવલોકનથી વાંચક આ નિબંધ સંબંધીનું સત્ય તારવી શકશે અને નિબંધની નિરર્થકતા સ્વયં સમજી શકશે.
પ્રાતે–આ પુસ્તકનો સંચય તૈયાર કરવામાં જે જે વ્યક્તિઓએ તપાસ સમિતિ ઉપર મોકલેલ ખૂલાસા નિવેદન, શાસ્ત્રીય પાઠો, જજમેંટ વિગેરેની નકલ અમારા ઉપર મેકલી. અમને સહાય આપી છે, તે સર્વને અમે આભાર માનીએ છીએ. અમે દરેક હકીકત બહુજ કસીને પ્રસિદ્ધ કરી છે, છતાં જે કોઈ સ્થલે કોઈને ભૂલ રહેલી જણાય તે સૂચવવા કૃપા કરે, એજ વિનંતિ.
“વાંચકોને-” આટલું જણાવી આ પુસ્તકનું અવલોકન કરવા તરફ દેરી વિરમીએ છીએ.
પ્રકાશક,
૪. આ પુસ્તકનું પાનું ૧૩-૧૪. ૫. આ પુસ્તકમાં પાને ૧૫ થી ૫૦.
For Private and Personal Use Only