________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર
ઉપર મુજબ બાર વર્ષનીજ રાખેલી છે. આ મુજબ હિંદુસ્તાના બાળક પેાતાનું વર્તન અને તેનું પરિણામ સમજવા માટે બાર વર્ષની વયે સંપૂર્ણ સમજશક્તિ ધરાવે છે, એવું અંગીકાર કરેલું છે. અને સાત વર્ષોથી ખાર વર્ષોંની વયવાળા આળકને માટે પણ અંગીકરણ તે એ મુજબનું કરવાનું છે, પણ તેને એમ સાખીત કરવાની છુટ રાખેલી છે કે તેણે તે પ્રકારની સમજશક્તિ ગુન્હાવાળું કૃત્ય કર્યું ત્યારે સંપાદન કરેલી નહાતી અને જો તે પ્રમાણે તે સ તાષકારક રીતે સાબીત કરી શકે તેજ તેણે કરેલું કૃત્ય ગુન્હા તરીકે ગણી શકાય નહીં.
દીવાની અને ફાજદારી કાયદા પરથી થતું અનુમાન.
૨૧. આ મુજબ બાળકાની સમજશક્તિને માટે કાયદો હોવાથી આઠ વર્ષની વય થયા પછી દીક્ષા લેવાનું વન એસમજનું માની લેવાનું ફ્રાઈ પ્રકાર ચેાગ્ય ગણાય નહીં, અને વિશેષે કરીને જ્યારે તે વનને તેના માબાપ અથવા વાલીને સંપૂર્ણ ટેકા હોય ત્યારે તેને નિરર્થક ઠરાવવું, એ જરાપણ અહિંગમ્ય લાગતું નથી.
૨૨. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે મુસદ્દાના પ્રકરણ ૨ ની કલમ ૩ ની પેટા ક્લમા ૧ તથા ૨ જેમાં સગીરને તેના માબાપ કે વાલીની રજામંદીથી પણ દીક્ષા આપવાના પ્રતિબંધ કરવામાં આવ્યા છે, તે ખીલકુલ અયેાગ્ય છે અને કલમ ૪ માં તેવી દીક્ષાને નિર્ ક ગણવાનું ઠરાવ્યું છે, તે પણ ચેગ્ય નથી.
સગીરના હક્ક તથા જવાબદારીનું સંરક્ષણ,
૨૩. કાઈક વખતે એવુ બનવાના સંભવ છે કે સગીરપણામાં પોતાના માબાપ કે વાલીની રજામંદી અને સંમતિથી દીક્ષા લીધા પછી તે સગીર લાયક ઉંમરના થાય ત્યારે તેને દીક્ષિત અવસ્થામાં કાયમ ન રહેતાં સંસારમાં પાછા આવવાના વિચાર થાય, પરંતુ તેણે દીક્ષા લીધેલી હાવાથી તેના સાંસારિક હકકા અને જવાબદારીએ જે પ્રકરણ ૨ ની કલમ ૪ માં બતાવવામાં આવ્યા છે તે નષ્ટ થઇ ગયેલા ગણાય. તે તેથી તેની સ્થિતિ ઘણી કફોડી થઇ પડે. આ બાબત જરૂર વિચાર કરવા લાયક છે, તેવા વિચારવાળા દીક્ષિતને આવી કફોડી સ્થિતિમાંથી બચાવવે અયેાગ્ય ન ગણાય. પરંતુ તેટલા ખાતર સગીર દીક્ષાનેાજ પ્રતિબંધ કરી દેવા વાસ્તવિક ન ગણાય. તે માટે સરળ ઉપાય તા એજ છે કે આવા સોગામાં સગીરના હક્કો નષ્ટ ન થાય તેટલા માટે પ્રચલિત કાયદામાં જોગવાઈ ન હોય તેા જોગવાઈ કરવી. અને સગીર લાયક ઉંમરનેા થાય ત્યારપછી અમુક મુદ્દતમાં સંસારમાં પાછા આવે, તેા તેના જે જે હક્કો હતા તે તે હક્કો ભાગવી શકે,
For Private and Personal Use Only