________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવી તેને છુટ આપવી. સગીરના માટે આવા પ્રકારની સરળતા કાયદામાં અનેક બાબતોમાં હોય છે, અને તેવી સરળતા આ બાબતમાં પણ જરૂર જણાય તે રાખવામાં આવે તો સગીરને તેના સાંસારિક હકકોમાં નુકશાન થવાને કાંઈ પણ સંભવ રહેશે નહીં અને તેની સાથે જે સગીર દીક્ષા લીધા પછી લાયક થઈને પણ દિક્ષા પાલનની જ ઈચ્છાવાળા હોય તેવાઓને દીક્ષા પાલનમાં કઈ પ્રકારનો બાધ આવશે નહીં.
મુસદ્દામાં ફરમાવેલી સજા • ૨૪. પ્રકરણ ૩ જાની કલમ પાંચમીમાં દીક્ષા આપનારને તેમજ તેમાં મદદગારી કરનારને એક વર્ષ સુધીની સખત અગર આસન કેદની, અથવા એક હજાર રૂપીઆ સુધીના દંડની અથવા બન્ને પ્રકારની શિક્ષા ફરમાવવામાં આવી છે. આ કામે તો હદ વાળી છે. સગીરને ત્યાગ માર્ગે દેરવનાર તેના માબાપને, અને તેની આત્મોન્નતિ કરવાના આશયથી તેની ઈચ્છા અનુસાર અને તેના માબાપની રજામંદીથી તેને દીક્ષા આપનાર તેના ગુરૂને દંડ કે કેદની કે બન્નેની તેઓ જાણે સમાજમાં મહા અનીતિનું કાર્ય કરતા હોય તેમ ગણી શિક્ષા કરવી એ કર્યો ધર્મપ્રિય મનુષ્ય વ્યાજબી છે એમ કહે ? આ તે કેવળ જડવાદમાં માનતા હોય અને દુનિયાભરમાં જડવાદની પુષ્ટિ કરવા બહાર પડેલા હોય, તેઓજ આત્મવાદમાં માનનારાઓનું દુનિયામાંથી નિકંદન કાઢવાની ઈચ્છાથી જ માન્ય રાખે. એ સંબંધમાં વિશેષ લખવું જરૂરનું નથી. પણ એટલું જ કહીશ કે તમે ભલે તમારા સિદ્ધાંતને વળગી રહો, પરંતુ બીજાઓના ઉપર તેઓનો સિદ્ધાંત છોડાવવા જુલમ ન કરે.
૨૫. અત્રે પ્રસ્તુત નિબંધ બાબતમાં મારી વિચારણા પૂરી થાય છે. હવે એ વિચારણા પરથી નીકળતો ફલિતાર્થ ટુંકમાં કહી દઉં.
(૧) સગીરની દીક્ષા જેવી કેવળ અમિશ્રિત ધાર્મિક બાબતમાં રાજ્ય સત્તાએ હસ્તક્ષેપ કરો બીલકુલ અયોગ્ય છે, અને તેથી અનેક અનિષ્ટ પરિણામ નીપજવાને પૂરેપૂરો સંભવ છે. ( જુઓ પિરા ૩, ૪, ૧૩, )
(૨) સગીરની દીક્ષાથી અનર્થ થાય છે અને તે શોચનીય છે, એમ માની શકાય નહીં. ( જુઓ પેરા ૬, ૭, ૮, ૯, ૧૧)
(૩ અ) માબાપ કે વાલીની કાયદેસર રજામંદીથી અને સાત વર્ષની ઉપરની વયના સગીરની પોતાની ઈચ્છાથી અપાયેલી દીક્ષા નિરર્થક ગણવી જોઈએ નહીં, અને તે કૃત્ય ગુન્હાહિત કૃત્ય ગણાવવું જોઈએ નહીં.
(૩ બ) કાયદામાં જેને સગીર વયનો ગણેલો છે તેવાને તેના માબાપ કે વાલીની સંમતિ સિવાય દીક્ષા આપવામાં આવે તો તેવી દીક્ષા
For Private and Personal Use Only