________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬
પરિશિષ્ટ ન. ૧૯ ઝવેરી હીરાભાઈ મંછુભાઈએ તપાસ સમિતિ સમક્ષ આપેલી જુબાની.
તા. ૮-૭–૩૨ રહીશ સુરત, સ, શું કહેવું છે ? જ૨. મહાસુખભાઈએ અયોગ્ય દીક્ષાના જે દાખલા રજુ કર્યા છે, તેમાં
મારી દીકરી બહેન કંચનબહેનની દીક્ષાનો દાખલો ટાંકે છે. તે
યાદી છાપામાં વાંચી ખરી હકીક્ત રજુ કરવા અત્રે આવેલ છું. સ, ખુશીથી કહે. જ મહાસુખભાઈએ ૧૮ મા નંબરનો દાખલો આપ્યો છે તે તદન
ખે છે. મેં પિતે મારી રાજીખુશીથી રૂ. ત્રણ હજાર ખરચ કરી ધામધૂમથી દીક્ષા અપાવી છે, એમ કહી સાક્ષીએ તેને ફેટ રજુ કર્યો હતો. તેની ઉંમર ૧૭ વર્ષની કહી છે તે પણ બેઠું છે. ઉંમર ૧૯ વર્ષની છે. તેણે લગ્ન કરવાની ના પાડેલી અને દીક્ષા લેવાનો તીવ્ર ભાવ હતો, તેથી અમે ખુશીથી દીક્ષા આપી. તેની આમંત્રણ પત્રિકા પણ કાઢેલી–તે રજુ કરું છું. જૂઓ આમાં સંમતિ નથી–એમ કોણ કહી શકે તેમ છે ! મારી તથા તેની માની પણ સંમતિ હતી. બધા કુટુંબીઓની પણ સંમતિ હતી.
અત્રે સુરતવાળા શેઠ મગનલાલ રણછોડદાસે રા. હીરાભાઈની ઓળખાણ આપતાં જણાવ્યું હતું કે તેઓ ૧૫ લાખના આસામી છે.
તે સામે સામા પક્ષના એક જણે કહ્યું કે અહિં આસામીનો સવાલ નથી. અહિં તો દીક્ષાના કાયદાની વાત છે.
અને ભાઈ કડીઆએ જણાવ્યું કે સગીર દીક્ષાના કારણોમાં એક કારણ–બેકારીનું કહેવાય છે, તેનો એ ખૂલાસો છે. સવ દીક્ષા આપવાથી અનર્થ થાય છે તે ખરું છે ? જ દીક્ષા આપવામાં અનીતિ શી ? ઉત્તમ માર્ગમાં તે વળી અનીતિ
હોઈ શકે ખરી ! સ, બાળકોને નસાડીને દીક્ષા આપે છે ને ? જ કેશુ કહે છે ? તેવું કદી ન બને !
છોકરાને વેચાતા લઈને દીક્ષા આપે છે ને ? તેમજ કરજ ચૂકવીને અને કુટુંબનું સાધન કરાવી આપે છે ને ?
સ
For Private and Personal Use Only