________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સભામાંથી–બાપ કરતાં માને ખુલાસે લેવો જોઈએ. જુબાની આપે તેને છાણીમાં નાત બહાર મૂકે છે.
અત્રે ૨. ગોવિંદભાઈએ નાથાભાઈને પૂછતાં જણાવ્યું કે છોકરે આવ્યો તે હું જાણું છું અને ગયો હતો તે પણ જાણું છું.
આ ઉપરથી સમિતિએ નાથાભાઈની જુબાની લીધી હતી. ભીખાભાઈ શીવલાલ છાણવાળાની દીક્ષા તેમના બાપની રૂબરૂમાં | થયેલી છે, એટલે આ સાક્ષોનું કહેવું છેટું કરે છે. ભીખાભાઈના બાપે વડેદરાથી કોલ કરેલો કે “મહારાજ સાહેબને કહેજો કે મારા આવ્યા પછી દીક્ષા આપે ” આટલીજ સત્ય હકીકત ઉપરથી આ સાક્ષી આખુયે તરકટ ઉભું કરે છે. ભીખાલાલ, તેમના બાપ શીવલાલ અને તેમની માતુશ્રી બાઈ મણના ખુલાસા માટે જુઓ પરિશિષ્ટ ન. ૩૩. નાથાભાઈ પુંજાભાઈની જુબાની.
તા. ૧૬-૭–૩૨. રહીશ છાણના. ઉં. વ. ૬૬. સ. શીવલાલ હીરાચંદને ઓળખે છે ? જ હા. શીવલાલ હીરાચંદને હું ઓળખું છું. સ, તેના છોકરાને દીક્ષા આપેલી તે જાણો છો ? જ હા. છોકરે ૮ દીવસ પહેલાં દીક્ષા લેવા અંધેરી ગયા. માબાપે
ખૂબ કકળાટ કર્યો. શીવલાલ અંધેરી ગયે. પછી છોકરાની મા છાણીમાં માંદી થઈ હતી, તેથી પાછા આવ્યો. સાધારણ માંદી થઈ હતી. પછી તે બેઉ જણ ગયા. તે આજે છોકરાને લઈ ને આવ્યા છે. માથું મુંડેલું છે અને કપડાં સંસારી પહેલાં છે.
સાક્ષીએ આ દાખલાથી સંમતિ વગર સગીરને દીક્ષા અપાઈ છે, એમ દેખાડવા પ્રયત્ન કર્યો છે, પરંતુ તે બેઠું છે. ખુલાસા માટે જૂઓ પરિશિષ્ટ નં. ૩૩. સ. છાણી તે દીક્ષાની ફેક્ટરી ગણાય છે ને ? જ હા. તે આ લોકોના મતને મળતું છે. સ, ત્યારે તમે વિરૂદ્ધ બોલો તો તમને હેરાન કરે ને! જ૦ ના. મને ત્રાસ ન થાય.
૩૪
For Private and Personal Use Only