________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ, બીજો કાંઈ દાખલો છે ! જ... હા. ચંદુ નામના છોકરાને આશરે ૧૫ વર્ષની ઉંમરનાને ઉમેટામાં દીક્ષા
આપી. તેની માનું નામ મોતી, રાંડેલી છે. તેની સંમતિ વગર લબ્ધિવિજયે દીક્ષા આપી. એની મા ચોથે દહાડે ઉમેટા ગઈ અને છોકરાને પાછો લઈ આવી. નાતના આગેવાનોએ શિક્ષા કરવા કહ્યું, પણ ડાહ્યા માણસેએ સમાધાન કર્યું અને નાત બહાર ન મૂકયા. બીજા દાખલા મારી જાણમાં નથી.
આ હકીકત ઘણી ઉપજાવી કાઢેલી છે. ખૂલાસા માટે જુઓ પરિશિષ્ટ નં. ૨૦. સ કાયદો થવો જોઈએ કે નહિ ? જ કાયદો જરૂર જ જોઈએ. બાળલગ્નના કાયદાથી જેમ તાકાત
વાન નિવડે છે, તે આ કાયદાથી મોટી ઉંમરે દીક્ષા લે, જેથી કેટલો તાકાતવાન નિવડે ! શું દીક્ષા અપાવે તેને સ્વર્ગ મળવાનું છે ! અને દીક્ષા ન અપાવે તે નર્કમાં જવાના છે !
ત્યાગનો વિરોધ કરનાર વાસ્તવિક રીતે જૈન સિદ્ધાંતનો વિરોધી છે અને તે બહુલ સંસારમાં રખડે છે. તે માટે જુઓ શાસ્ત્રીય પુરાવા.
અત્રે રા. ગોવિંદભાઈએ રા. કડીઓને સૂચના કરી હતી કે જે આ બધું ખરું હોય તો સાચા જૈન તરીકે શુદ્ધ અંત:કરણથી આ કાર્ય તમારે પોતાને જ ઉપાડી લેવું જોઈએ અને આવું ન થાય તેવા દરેક ઉપાય કરવા જોઈએ.
રા. કડીઆએ જણાવ્યું કે “ આ વાત સાચી યા બેટી છે–તે હું કહી શકતો નથી, પરંતુ અપવાદ તે દરેકમાં હોય. તેમ કોઈ મુનિએ શાસ્ત્ર વિરૂદ્ધ ૧૬ વર્ષથી ઓછી ઉંમરનાને વાલીની સંમતિ વગર દીક્ષા આપી હોય, તે તેના વાલી કે જદારી પગલાં લે, તેમાં મારો વાંધો નથી. શાસ્ત્રાશાથી વિરૂદ્ધની દીક્ષા થઈ હોય તે હું જરૂર સામે થઉં.
For Private and Personal Use Only