________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૩
બાબતમાં સંઘે તેમજ રાજ્ય બંન્નેએ પગલાં ભરવાં જોઈએ. દીક્ષાના સંબંધમાં હાલ જે પ્રવૃત્તિ ચાલે છે, તે ગ્ય નથી. અયોગ્ય દીક્ષાની પ્રવૃત્તિ મૂળથી જ ચાલી આવે છે, પણ આજે વિશિષ્ટ બની છે. પૈસાની લાલચથી, બળાત્કારથી, પિતાના કલ્યાણથી વિગેરે પ્રકારે દીક્ષા અપાય છે.
પ્રથમ અયોગ્ય કામ કર્યું હોય, ત્યારે સંધ અથવા આગેવાન ગૃહસ્થ કાઈ કહેતા, ત્યારે સાધુ શરમાઈ જતા. અત્યારે એક વર્ગ એવો ઉભો થયો છે કે આ વસ્તુનું છડેચોક પ્રતિપાદન કરે છે અને કહે છે કે શાસ્ત્રવિહિત છે. અપવાદરૂપનો ઉપયોગ પ્રવૃત્તિમાં સ્થાપન કરે છે. આજના જમાનામાં એ ન ચાલે. એ લેકે કહે છે કે ધાર્મિક કાર્યોમાં રાજ્યની ડખલગીરી ન જોઈએ, તે છતાએ કેટલાક એવા
ધાર્મિક કાર્યોમાં એજ લે કે રાજ્યની મદદ લે છે-એ ઠીક નથી. સ, આ કાયદે કરીએ તો પરિણામ કેવું આવશે? જ પારણામ કેવું આવશે તે હું ન કહી શકું. આપણે ધારીએ છે તેવું
પરિણામ ન આવે. એક અથવા બીજી રીતે માઠું પરિણામ પણ આવે. જુદા જુદા રાજ્યમાં કાયદો થવાની ચર્ચા ચાલે છે, એટલે આ પ્રશ્ન વ્યાપક થશે. પરંતુ છેવટે તેનું પરિણામ એ આવશે કે દીક્ષાની મહત્તા જશે. વાલીયર રાજ્યમાં છમકલું થયું હતું. બીકાનેર, જોધપુર, ભાવનગર વિગેરે વિચાર કરી રહ્યા છે–ત્યાં કાયદો થશે. આ કાયદાથી દીક્ષાને અટકાવવાનો ઇરાદો નથી, પણ તેને અંગેના દેખાતા દોષો દુર થઈ જાય, તે પણ એટલે અંશે સારું પરિણામ આવશે.
૧૮ વર્ષની ઉંમરના પણ લગભગ કમાવાની શક્તિ વગરના લાલચથી સાય તેવા દાખલાઓ પણ બનવાના. ૧૨-૧૪ વર્ષના છોકરાને માબાપ પાસેથી કાશી લઈ જવામાં આવેલા. ૧૮-૧૯ વર્ષે તેઓ કોલેજમાં ભણતા તેઓ છુટી ગયા, પણ બીજા ૨૦ વર્ષના થયા તે પણ ફસેલા છે. એવી રીતે નાની ઉંમરમાંથી પાકટ સમજવાળા બચી જશે. કાચી ઉંમરે દીક્ષા ન આપવી જોઈએ. સંઘની સંમતિ, માબાપની સંમતિ તેમજ લાયકાત જોઈને જ દીક્ષા અપાય. હું સમજુ છું, છતાં પણ મને દીક્ષા ન આપે, કારણ કે હું લેકેપયોગી ન બનું.
સ્થાનકવાસી અને દીગંબરામાં પણ તાંબર મુજબજ નિયમો છે. સ, એક ભાગજ ખટપટ કરે છે તેનું કારણ?
For Private and Personal Use Only