________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦
અને કાચા મગજના બાળક તેથી તે ભોળવાયા પણ ખરા અને
સાધુ થયા. સવ નામના પહેલા અક્ષર ઉપરથી નામ પડાય છે અને એમનું નામ
રામવિજયજી શાથી પાડ્યું ? જ. જેમ છોકરાનું નામ રાશી અને જન્માક્ષર ઉપરથી પાડે છે, તેમ
દીક્ષા લે તે વખતની રાશી ઉપરથી નામ પાડે છે, એટલે નામ
જુદું પણ પડે. સત્ર દીક્ષા લેતી વખતે ઉંમર કેટલી હતી ? જ. આશરે ૧૧-૧૨ વર્ષની ઉંમર હતી.
દીશા લેતી વખતે પં. શ્રી રામવિજયજીની ઉંમર ૧૭ વર્ષની હતી. તેને ખુલાસો પરિશિષ્ટ નં. ૨૮ માં થઈ ગયો છે. સ. આ દીક્ષા સાધુ સંમેલન પછીથી થયેલી ને ? જ હા. સાધુ સંમેલન પછી સમવિજયજીની દીક્ષા થયેલી. થોડાક
વખત પછી થયેલી. અને સાધુ સંમેલનને ઠરાવ તુટયો હોય તે પહેલ વહેલો આ દીક્ષાથી તુટયો.
પાદરા તાલુકાના ગાજ ગામના ચુનીલાલ ત્રીભવન ઉંમર લગભગ ૨૦ વસનાને આચાર્ય મોહનવિજય ફોસલાવી લઈ ગયા અને સુરત જીલ્લામાં દીક્ષા આપી. એક વરસ દીક્ષા પાળી અને પછી તે પાછો આવ્યો. હાલ તે ગાજમાં છે. તે મારે આશ્રીત હતો અને એણે મને આવીને કહેલું કે દીક્ષા લેતી વખતે પ્રલોભનો આપેલાં, પરંતુ તે પછી સાધુઓ કામ કરાવે, પગ દબાવરાવે, એટલે મને ફાવ્યું નહિં– તેથી પાછો આવ્યો. પાક વૈરાગ્ય નહિ એટલે ટકી પણ ન શકે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જેને થયો હોય અને દીક્ષા લીધી હોય તેજ
ટકી શકે અને પાછો ન આવે. સ દીક્ષા લીધી તે વખતે માબાપ હયાત હતા ને ? અને તેમની સંમતિ
લીધેલી ને ? જય મા હયાત હતી. તેમની સંમતિ લીધેલી નહિ. સઈ પરણેલાં હતા કે નહિ ? જ. હા. ઘેર આવ્યા પછી તે છોકરાં થયાં છે. સ૦ સ્ત્રીની રજા લીધેલી કે નહિ ? જ ના. સ્ત્રીની પણ રજા લીધેલી નહોતી.
For Private and Personal Use Only