________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮ સબાળ એટલે ક્યાં સુધી ? જ કાયદા પ્રમાણે ૧૮ અને અમારા શાસ્ત્ર પ્રમાણે આઠ વર્ષ બાળક
માટે છે. સ. આ બધા દાખલાઓ સંબંધી આપની જાતમાહિતિ છે કે કેમ ? ન
હોય તો વજુદ શી રીતે અપાય ? જ તે સંબંધી મારા ઉપર કાગો આવેલા છે, મારી જાત માહિતિ નથી.
અભયસાગરના કેસમાં મારી અડધી માહિતિ છે. સંખેશ્વરમાં સાગરાનંદસૂરિજીએ સાડા છ વર્ષના છેકરાને દીક્ષા આપેલી. આ બાબતમાં મેં વીસનગરમાં દીક્ષા આપનાર સાગરાનંદસૂરિજીને પૂછેલું કે સાડા છ વર્ષની ઉંમર એ શાસ્ત્ર વિરૂદ્ધ ખરી કે નહિ ? સાગરજીએ શાસ્ત્રને અર્થ અવળે કરીને મને બતાવેલો. સાગરજીએ મને પૂછયું કે આઠ એટલે શું ? મેં કહ્યું કે આઠ પુર. આચાર્ય મહારાજે કહ્યું કે આઠ એટલે આઠમું વર્ષ બેસે છે અને ગર્ભષ્ટમ એટલે સવા છે. આ છોકરો ઉનાવાનો હતો. એને કાકે મારી પાસે આવ્યો. આખું કુટુંબ પાયમાલ થઈ ગયું છે. આ છોકરાના મોટા ભાઈને પણ જામનગરમાં દીક્ષા આપવાની હતી, પણ જામનગર સ્ટેટે દીક્ષા આપવાનો મનાઈ હુકમ બહાર પાડે, તેથી તે છોકરાને અમદાવાદ લાવી દીક્ષા આપેલી.
આ બાબતમાં ભાઈ અમૃતલાલના દીક્ષા લેવાના પૂરેપૂરા ભાવ જણાયાથી તેમના માતુશ્રી, આચાર્ય મહારાજશ્રી તે વખતે શંખેશ્વર હોવાથી અને તેમની પાસે દીક્ષા લેવાની હોવાથી ભાઈ અમૃતલાલને લઈને ત્યાં ગયા અને તેમની તથા ભાઈ અમૃતલાલની સંપૂર્ણ રાજીખુશીથી દીક્ષા અપાવી હતી. મોટા છોકરાને પણ તેની સંપૂર્ણ ઈચ્છાથી આચાર્ય મહારાજશ્રી જામનગર બીરાજતા હોવાથી, દીક્ષા અપાવવા માટે તેઓ ત્યાં ગયેલા, પરંતુ ત્યાંના યુવક સંધવાળાઓએ ખોટી અરજી કરી મનાઈ હુકમ મેળવેલ તેમજ તેઓને પણ ખોટી રીતે હેરાન કરેલા. આથી તેઓએ અમદાવાદમાં આવી ભાઈ મેતીચંદને દીક્ષા અપાવેલ. વધુ માટે જુઓ પરિશિષ્ટ નં ૮. . બધાં તમારી પાસે કેમ આવે છે ? જ. બધાં એમ માને છે કે મને મદદ કરશે. હું કલમથી પ્રોપેગેન્ડા
કરું છું. હું દેડી શકતો નથી, પણ કલમથી જાહેર કરું છું કે પાપ બહુ થાય છે, નિરાધાર માણસો આપણા રાજ્યમાં બહુ રડે છે, માટે મદદ કરે. સરકારને મારી વિનંતિ છે કે આપ જરૂર કાયદો કરે.
For Private and Personal Use Only