________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
જેઠ સુદ ૩ના રોજ બાઈ પાટણ આવી, સાંજના મારે ઘેર આવી. મેં કહ્યું કે તારા બાપને કહીને આવી છું કે કહ્યા વગર, તેણે કહ્યું કે બેનને કહીને આવી છે. ત્યારે મેં કહ્યું કે તુરતજ ઘેર કાગળ લખ. કાગળ લખ્યો અને બેનના સરનામે મોકલ્યા. કાગળ ઘેર પહોંચ્યા પહેલાં ત્યાંથી તેના બાપ અને બીજા બે જણ અમદાવાદ તેમજ ખંભાત તપાસ કરી આવેલા ને નામે પાલીતાણેથી તેની બેનનો કાગળ આવ્યો કે બાપા આવી ગયા છે. તે પછી પરમાણંદદાસ પાટણ આવ્યા. બાઈ જશી ઝાડે ફરી આવતી હતી. બાદએ કહ્યું કે મને પરણાવવાનું કહે છે તેથી આવી છું. હું સામાયિક કરી નીચે આવ્યો. પરમાસુંદદાસને ચા પાણી પાયાં. કેટલીક વાતચીત કર્યા બાદ બાઈને લઈ જવા કહ્યું. મેં કહ્યું કે સુખેથી લઈ જાવ. બાઈએ કહ્યું કે મને માગશર મહિને દીક્ષા અપાવવાનું વચન આપે તો જાઉં. મેં તે મુજબ માગશર મહિનામાં દીક્ષા અપાવવાનું વચન અપાવ્યું અને
તેરસના રોજ તેમને વિદાય કર્યા. બાઈની ઉંમર વર્ષ ૧૮ ની હતી. સ. આવી રીતે બાપને પૂછયા વગર છોકરીઓ ચાલી જાય, તે અયોગ્ય
ખરુંને ? જ ચીંતા થાય, તે ખરું છે. વાલીઓએ પણ પિતાને ધર્મ સમજવો
જોઈએ ને !
For Private and Personal Use Only