________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
શા, ભેગીલાલ હાલાભાઈ-પાટણવાળાની જુબાની.
( ઉં. વ. ૪૩, તા. ૧૬-૭-૩ર. લેખીત સ્ટેટમેન્ટ રજુ કર્યું. સદ વડેદરાના સાધુ સંમેલન સંબંધી તમારું કહેવું શું છે ? જ ઠરાવ થયેલ તે મંજુર છે. પણ વસ્તુસ્થિતિ એવી છે કે ૨૦ મો અને
૨૩ મે હરાવ ‘ઉપયોગ રાખવો” એવા શબ્દોમાં છે, એટલે કે સંઘાડાના સાધુઓને કોર્ટમાં જવું ન પડે અગર ઝઘડામાં ઉતરવું ન પડે તે માટે ઉપયોગ રાખવો અને તેને માટે સખ્ત વિચાર, એટલે તેવી સજા.
આચાર્ય મહારાજના આદેશથી ખબર આપ્યા સિવાય ત્રીભોવનદાસને કાવીમાં દીક્ષા આપી. માતા હયાત હતા. તેમને ખબર ન આપી તે સાચું છે. તે સિંઘાડામાં બે ભાગ છે. આચાર્ય મહારાજની હયાતિમાં વડોદરામાં જાની શેરીમાં રામવિજયજી મહારાજને વડી દીક્ષા આપી છે. ગોહન કર્યા સિવાય વડી દીક્ષા અપાય નહિં. ૫. સંપતવિજયજી, શ્રી વલભવિજયજી તથા મુનિશ્રી હંસવિજયજીની હાજરીમાં વડી દીક્ષા અપાઈ છે. તો આ રીતે તે ઠરાવ ટકી શકતો નથી. પદસ્થ સાધુ સિવાય વડી દીક્ષા અપાયજ નહિં અને પંન્યાસ સંપત વિજયજીએ જ તેમને વડી દીક્ષા આપી છે, એટલે આ ઠરાવ અમલમાં
રહ્યો નથી. સ, વડી દીક્ષા કયારે અને છોટી દિક્ષા ક્યારે ?
પ્રાથમિક દીક્ષા એટલે કે દીક્ષા લેવા આવ્યા હોય, ખાત્રી કરવી હોય તેટલી કરે અને પછી દીક્ષા આપે. આ દીક્ષા થયા પછી તે માંડળી બહાર રહે છે. બીજા સાધુઓને એનું લાવેલું ખપે નહિ. અમૂક જાતના યોગદ્વહન કરે છે તેમાં અવાય. વડી દીક્ષા લેતા પહેલાં દશવૈકાલિક સૂત્રને અભ્યાસ કરવો જોઈએ કે જેથી સાધુના આચારવિચાર બરાબર સમજી શકે. આ સુત્ર જ્યાં સુધી ભણી શકે નહિ ત્યાં સુધી વડી દીક્ષા અપાય નહિં. આ સૂત્ર ભણતાં બાર મહિના થાય અગર એક
મહિને થાય તો પણ તે પછી જ વડી દીક્ષા અપાય. સ. તેમાં કાંઈ વિધિ થાય છે ? જ હા. નાણ મંડાય છે, તેમાં ચાર બાજુ ચાર પ્રતિમાજી પધરાવાય છે,
ચારે બાજુ ઘીના દીવા કરવામાં આવે છે. શ્રાવકો ભેગા થાય અને
ઉચ્ચારણપૂર્વક અર્પણ કરે. સ. પ્રાથમિક દીક્ષા આપનાર સાધુજ વડી દીક્ષા આપે ને ?
For Private and Personal Use Only