________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ. તે બાબતમાં મેં મારા સ્ટેટમેન્ટમાં મારા વિચારે દર્શાવ્યા છે. સગીર
ઉંમરને માણસ દીક્ષા લેવા તૈયાર થાય, તે માબાપની રજા છે કે નહિ તે બાબતમાં તકરાર ઉપરિચત ન થાય તે માટે તેમની લેખીત સંમતિ હોવી જોઈએ અને તેમાં બે સાક્ષીઓની સહી જોઈએ. તે
નિયમ માબાપ કે વાલીના સંરક્ષણના હેતુ માટે યોગ્ય ગણાય. સવ દીક્ષા માટે તૈયાર થાય તે પરણેલ હોય તો? જ. આ તે સગીર દીક્ષાનો સવાલ છે, તેથી મોટી ઉંમરના માટે તેમાં
વિચાર કરવાની જરૂર નથી. સ. ૧૬ વર્ષ ઉપરની ઉમરનો હોય અને દીક્ષા લેવી હોય, પરણેલે
હોય, તે સ્ત્રીની સંમતિ લેવી જોઈએ કે નહિ ? અગર તેના
ભરણપોષણની વ્યવસ્થા કરવી જોઈએ કે નહિ? જ. સ્ત્રીને રખડતી મૂકીને નજ જવું જોઈએ. તેના ભરણપોષણની વ્ય
વસ્થા કરવી જોઈએ. છોકરાં હોય તો તેને માટે પણ બંદોબસ્ત
કરવું જોઈએ. સસગીર ઉમરે લગ્ન થયું હોય અને દીક્ષા લે તો શું થાય ? જ. હવે તે ૧૮ વર્ષની ઉંમરે લગ્ન કરવાનો કાયદો થયો છે ને? સ, સગીર દીક્ષા લે એટલે તેને મિલ્કત સંબંધી હક્ક ઉઠી જાય છે ને ? જ તેને સીવીલડેડ ગણાય, એટલે હકક રહે નહિ. કેટલાક સીવીલડેડ નથી
પણ ગણતા. સ. પરણેલો હોય અને સ્ત્રીના ભરણપોષણ ઈત્યાદિનો બંદોબસ્ત કર્યા
વગર દીક્ષા લીધી હોય, તો તે અયોગ્ય કહેવાય કે નહિ? બૈરીની સંમતિથી હોય તે વાંધો નહિ, પણ ભરણપોષણની વ્યવસ્થા
કર્યા વગરની દીક્ષા હું બહુ ઈચ્છવાજે ગણતો નથી. સ બાળલગ્નનો કાયદે તેમજ બીજા કાયદાઓ સ્ટેટ કર્યા છે, તેમ આ
કાયદો કરી શકે કે નહિ ? જ બાળલગ્ન વિગેરે કાયદા એ કેવળ ધાર્મિક બાબતો જ નથી. એટલે
કેવળ ધાર્મિક બાબતોમાં સ્ટેટ વચ્ચે પડવું તે મને ઈષ્ટ લાગતું નથી. કોઈ કામ વ્યવહારિક અને ધાર્મિક બન્ને મિશ્રિત હોય, તો ધાર્મિકને બાજુ રાખી વ્યવહારિકમાં વચ્ચે પડે તેમાં વધે નહિ, પણ દીક્ષા
એ તો કેવળ ધાર્મિક બાબત છે. સ, શાસ્ત્ર એટલે શું? જ ૪૫ આગમે.
For Private and Personal Use Only