________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૨
સ. ૧૮ વર્ષની ઉંમર હોય, વૃદ્ધ માબાપ હોય, બેરી હોય, છોકરાં હોય,
તો તેને દીક્ષા આપવી કે નહિ ? જ આપવી કે નહિ તે હું કહી ન શકું, પણ ઘટતી વ્યવસ્થા કરે. સ. નાતરાં કરવાની છુટ રાખો. તે પછી કાયદાની જરૂર જ નથી. જ. એ માટે હું તૈયાર નથી. સ, લાયકાત જોયા વગર દીક્ષા અપાય ? જ નજ આપી શકાય. સ. સંધની સંમતિ લેવી જોઈએ કે નહિ ? જ આવશ્યક નથી.. સ. ૧૮ વર્ષની ઉંમર સુધી ગુરૂ પિતાની પાસે રાખે, સંસ્કૃત માધિ
વિગેરે ભણાવે અને પછી લાયકાત જોઈ દીક્ષા આપે તે હરકત છે ? જ દીક્ષા લેવાની ઈચ્છાવાળો હોય અને ગુરૂ આ ખાતર રેકે તે હરકત. સ. ત્યારે તરતજ દીક્ષા આપે ? જ તરતજ દીક્ષા અપાતી નથી, પણ લાયકાત જોઇને આપે છે. સ. છાણીના છોકરાને અંધેરીમાં સાગરાનંદસૂરિએ દીક્ષા આપી–તે બાબ
તમાં તમે જાણો છો? જ” હા, સાંભળ્યું છે. સ, તે દીક્ષા માબાપની સંમતિ વગર આપી છે, તે સંબંધી જાણો છો ? જ મને તે સંબંધી પૂરેપૂરી માહિતિ નથી. સ૦ તપાસ કરજે. જ જરૂર કરીશ.
For Private and Personal Use Only