________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૭
જ. ના. . ઈ. યુ. મેં. જે. સો. સંમેલનના મંત્રી તરીકે મને બોલાવેલ છે. સ, તમે જાતે તો વિરેધ અરજીઓ લખી જુદે જુદે ઠેકાણેથી અત્રે
મોકલાવી નથી ને ? જ ના કેટલીક જગ્યાએ મેં તે સંબંધી પ્રચાર કર્યો છે. સ શું પ્રચાર કર્યો છે? જ આ નિબંધ આપણા ધર્મ વિરૂદ્ધને છે, માટે તે રદ થવો જોઈએ.
તો આપને તે સામે વિરોધપત્ર વડોદરા મોકલાવી આપશે સ, મારી પાસે એક જ મતલબના લગભગ ૨૦૦ ક્યા જુદે જુદે ઠેકાણેથી
આવેલા, તે મેં ફાઈલ કર્યા છે. તે સંબંધી તમે કાંઈ જાણો છો ? જ. ના. તે કયાર્ડ સંબંધી હું કાંઈ કહી શકતો નથી. તેની સાથે મારે
સંબંધ નથી. સ, પ્રચાર કરેલો તેથી આ વિરોધ અરજીઓ આવેલી ? જ પ્રચાર પણ કરેલ અને કેટલેક ઠેકાણે જાતે જઈને તેમજ બીજ
ગામોમાંથી માણસે મોકલીને વસ્તુસ્થિતિ સમજાવેલી અને વિરોધ
કરાવેલ. સ, તારો તમે કરાવેલા? જો તારે કરવા સુચના કરેલી. સપૈસા આપેલા ? જ• ના. પૈસા આપેલા નહિ. સ. તેમ કરવાનું શું કારણ? જ. લોકોને જાણ થાય અને યોગ્ય લાગે તે મુજબ પોતાનો વિરોધ
લખી મોકલે. સ૦ અમૂક જ લખાણ કરે એમ જણાવેલું ?
ના, અમૂક જ લખાણ કરે એમ દબાણ કરેલું નથી. આજ મુજબ નિબંધને ટેકો આપનારાઓએ પણ પ્રચાર કર્યો છે, છતાં તેઓને વધુ પ્રમાણમાં ટેકો મળ્યો નથી. આ બાબતના મારી પાસે પૂરાવા છે.
મી. મહાસુખભાઈ તરફથી સગીર દીક્ષિતના દાખલાની એક યાદી આપવામાં આવેલી. તે સંબંધમાં કેટલું છેટું છે, તે કેટલાકના વાલીઓએ તેમ જ કેટલાક મારી જાતમાહિતિથી મેં દર્શાવ્યું છે. વડોદરા રાજ્યના ૧૨ સગીરોએ છેલ્લા પાંચ વર્ષમાં દીક્ષા લીધેલી, તેની યાદી અગાઉ મેં
રજુ કરી છે, તેમજ તે સંબંધી વધુ હકીકત ઉતારી છે તે રજુ કરું છું. સવ બીજાં જે કાંઈ સ્ટેટમેન્ટ રજુ કરવાં હોય તે કરે. જ૦ સ્ટેટમેન્ટ તરીકે વસ્તુ રહેતી નથી.
For Private and Personal Use Only