________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
જ. અત્યાર સુધીમાં બે દાખલા બન્યા છે, પણ તેમાં ઘણું જાણવા
સહ ખાનગી સમાધાન થતું હોય કે પંચમાં સમાધાન થાય–તે બહાર ન
આવે ને ? જ એવી રીતે ખાનગી તો કોઈ વખત થયું નહિ હોય. સ. એવા દાખલા અમારી પાસે આવ્યા છે.. જ દીક્ષા લીધાં પહેલાં બંદોબસ્ત કર્યાનું હું જાણું છું. દીક્ષા લીધા પછીના
તેવા દાખલા હું જાણતો નથી. સ૦ ફજદારી કેસો થયાના દાખલા જાણો છો? જ હા. ચાણસ્મા, વાસદ, અમદાવાદ તથા પાટણમાં કેસ થયાનું હું
જાણું . સો: આવા ઝઘડાઓ થાય છે ને ? જ આવા ઝઘડાઓ ઉભા કરવામાં આવે છે. સ, તેવા ઝઘડાઓ ન થાય તેના માટે શું કરવું ? જ૦ જેઓને શાસ્ત્રોક્ત રીતે અપાતી પણ દીક્ષા ન ગમતી હોય, તેઓ ખુશીથી
અલગ થઈ જાય, તો ઝઘડા થાય જ નહિ. સ, ભ્રમિત કરી દીક્ષા આપવામાં આવે છે? જ. ના. ભ્રમિત કરી દીક્ષા આપવામાં આવતી નથી. સ. એવું કહેવામાં આવ્યું છે ને? જ કહેતા હોય તો તે વાસ્તવિક નથી.
અત્યાર સુધીમાં નિબંધની તરફેણ કરનારાઓએ જુબાનીઓ આપી છે, તેમાંથી કેટલાક મુદાઓ છણાયા વગરના છે. તેવા કેટલાક મુદ્દાઓ વાતમાં નીકળી ન જાય તેના બદલે તે દરેક મુદ્દાઓ ઉપર એક લેખીત સ્ટેટમેન્ટ મેં તૈયાર કર્યું છે, જે રજુ કરું છું અને તેની સાથે એક
ટુંક નિવેદન લખેલ છે તે વાંચી સંભળાવું છું. સ, ખુશીથી વાંચો. જ નિવેદન વાંચી સંભળાવ્યું. સઇ નિવેદનમાં લખ્યું છે કે વિરોધના ઠરાવો આટલા અને તરફેણના
આટલા, તે તમે શાથી જાણ્યું ? જ આપ સાહેબ પર જે વિરોધ આવેલા તેની કેટલીક કોપીઓ અમારા . • ઉપર પણ આવેલી. સ. આ સાક્ષી તમે તમારી જાત તરફથી આપે છે?
For Private and Personal Use Only