________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાપ્ત કર્યું–તે અમારા શ્રી જિનેશ્વરદેવેએ સ્વયં અનુભવેલ સંસારદુઃખના નિવારણનો માર્ગ કમરોગથી પીડાતા જગતને દર્શાવ્યો, અને તે જૈન ધર્મ. આવા ધમમાં ત્યાગ ઓતપ્રોત હોય એ સ્વભાવિક જ છે. એથી જ જૈન ધર્મને ત્યાગધમ પણ કહે છે. ત્યાગ સાથે જૈન ધર્મનો અરિથમજજાનો સંબંધ છે. જે જૈન ધર્મ રૂપી વિરા શરીરમાંથી ત્યાગરૂપી આત્મતત્ત્વ ખસેડી લેવામાં આવે તો તો જૈન ધર્મ એ માત્ર શાબ્દિક ખોખુજ રહે.
૩. જૈન ધર્મ અને ત્યાગ આમ એકમેક હોવાથી તેના અનુયાયીએમાં પણ ત્યાગની વૃત્તિ અને પ્રવૃત્તિ જીવન ધ્યેય રૂપે હોયજ. આ પ્રમાણે
જ્યાં આવી ઉત્તમ ત્યાગની ભાવના હૃદય સાથે જડાએલી હોય અને કુટુંબી જનોના વર્તન પણ જ્યાં ત્યાગ સંસ્કારથી વાસિત હોય, તે ઘરોમાં ત્યાગ ધમ નાં બીજ સહેલાઇથી વવાય. એટલે વીતરાગ પરમાત્માની પૂજા, ત્યાગી ગુરૂઓની સેવા અને રાગને કાપનાર ત્યાગધર્મની ક્રિયાઓ સામાયિક-પૌષધાદિ જ્યાં બાળપણથી જ નજરે જોવાતાં હોય, વધુમાં રાત્રિભોજનને ત્યાગ, અભક્ષ્ય વસ્તુઓ પરત્વેનો અનાદર, અને તપ ધ્યાન તરફની પ્રવૃત્તિ જ્યાં ચાલુ હોય, અને પૂર્વભવોની ત્યાગધર્મની આરાધના હોય, તો બાળક પણ સર્વ ત્યાગ તરફ દોરાય-એ નિઃશંશય છે. પરંતુ સર્વ જીવો સરખા સંસ્કારવાળા કે સરખી આરાધના વાળા હતા નથી, હેય પણ નહિ. તેથી શ્રી જિનેશ્વરદેએ જેઓ સર્વ ત્યાગ કરી શકે તે માટે પ્રથમ આદરણીય સર્વવિરતિ ધર્મ (દીક્ષા) કહ્યો, અને જેઓ સર્વ ત્યાગના ધ્યેયવાળા હોય, પરંતુ પૂર્વભવોની તેવી ઉત્તમ પ્રકારની આરાધના ન હોય અને વર્તમાનમાં નવી આરાધના કરવા માટે જોઈએ તેવી સામગ્રી ન સાંપડી હોય, તેવાઓ માટે બીજા નંબરે દેશવિરતિ ધર્મ (શ્રાવક ધમ) કહ્યો, અને તે દેશવિરતિ ધર્મ પણ આરાધવા જેઓ શક્તિમાન ન હોય તેમને માટે સમ્યકત્વ ધમ કહ્યો અને તેટલી પણ શક્તિ જેનામાં ન હોય તેવા આત્માઓ માટે માર્ગોનુસારીપણાનો માર્ગ દર્શાવ્યો. આ રીતે રચના કરીને સકળ જીવ માત્રના હિતચિંતક કી જિનેશ્વરદેવોએ સર્વને ધર્મમામાં આવવાની અને રહેવાની સગવડ કરી આપી છે.
કેટલાકને થયેલ ભ્રમ ૪. ઉપકારીઓએ કરી આપેલી ઉપર જણાવેલી આત્મહિતસાધક સગવડને પણ કેટલાક સંસારરસિક આત્માઓએ ઉલ્ટો અર્થ કર્યો. તેઓએ આખાયે ક્રમ ફેરવવા પ્રયત્ન કરવા માંડયો અને જે પ્રથમ આદરણીય સર્વવિરતિ ધર્મ, તેને છેવટના માર્ગ તરિકે ગણાવવા લાગ્યા. આના
For Private and Personal Use Only