________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિ. જતિ સંસ્થા
ગ્રંથ પ્રામાણ્ય માનતી વખતે તે સર્વ ગ્રંથો કઈ પદ્ધતિથી નિશ્ચય કરે છે એ પ્રથમ નક્કી કરવું જોઈએ. કોઈ પણ પ્રકારને નિશ્ચય કરવાની બે પદ્ધતિઓ છે. એક નિર્ણાયક (Deductive) અને બીજી અનુનાયક (Inductive). પહેલી પદ્ધતિમાં સર્વ સાધારણ સિદ્ધાન્ત લઈ તે ઉપરથી બીજા સિદ્ધાન્ત કાઢવાના હેય છે, ત્યારે બીજી પદ્ધતિમાં પુષ્કળ ઉદાહરણો ભેળાં કરી તે પરથી સિદ્ધાંત કાઢવામાં આવે છે. આપણે જે ગ્રંથોના અર્થ લગાડતા હોઈએ તે ગ્રંથે આ બન્ને પદ્ધતિમાંથી કઈ પદ્ધતિને અનુસરે છે એને પણ નિશ્ચય થવો જોઈએ.
ગ્રંથ પ્રામાણ્ય માનતી વખતે જુના ધર્મશાસ્ત્રની દષ્ટિએ અનેક પ્રમાણે મનાય છે. અમે મનુસ્મૃતિને ધર્મ પ્રમાણમાં એક ગ્રંથ છે, એમ માનતા હોવાથી આ બાબત વિષે તેને મત કહીએ છીએ.
श्रुतिस्तु बेहो विशेयो धर्मशास्त्रं तु बै स्मृतिः । ते सबार्थेष्वमीमांस्ये ताभ्यां धर्मो हि निर्वभौ ॥ જોડામજોર રે મૂછે હેતુણાત્રા fકાઃ | स साधुभिबहिष्कार्यो नास्तिको वेदनिन्दकः ॥ वेदः स्मृतिः सदाचारः स्वस्य च प्रियमात्मनः । एतच्चतुर्विधं प्राहुः साक्षाद्धर्मस्य लक्षणम् ॥' श्रुतिद्वैधं तु यत्र स्यातत्र धर्भावुभौ स्मृतौ । उभावपि हि तौ धर्मी सम्यमुक्ती मनीषीभिः ॥ ..
શ્રુતિ એટલે વેદ અને સ્મૃતિ એટલે ધર્મશાસ્ત્ર. તે બને ઉપર મિયા તર્કો કરીને તેમાં કહેલા વિચારો પર અશ્રદ્ધા કરવી નહિ. કારણ કે તે બન્નેમાંથી ધર્મ ઉત્પન્ન થયો છે.”
૧ મનુસ્મૃતિ–આ. ૨ જે. બ્લેક ૧૦, ૧૧, ૧૨, ૧૪.
For Private and Personal Use Only