SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (function of time) છે. વિવાહ સંબંધી લાયકાત વિવાહકેટલે કાળ ટકી રહ્યો એ ઉપરથી ઠરાવવાની છે. આવી શરત ન પળાતી હોય ત્યાં બાળકના પિષણ સંવર્ધનની વ્યવસ્થા સમાજે પિતાના હાથમાં લેવી જોઈએ, તેથી જ અમે પાછળ કહ્યા પ્રમાણે વિવાહ સંબંધ સ્થિર અને શુદ્ધ હોવા જોઈએ. પરંતુ ભાવી પેઢીની સંભાળ એ શબ્દ ઉચ્ચારવાની સાથે જ અનંત પ્રશ્નો ઉત્પન્ન થાય છે. ફકત એક જ પેઢીને આગલી પેઢી સાથે સંખ્યાની દૃષ્ટિએ સંબંધ જઈશું તે પણ જણાઈ આવશે કે એક પેઢીને થે જ ભાગ આગલી પેઢીની જોકસંખ્યા ભરી કાઢવાનું કાર્ય કરતા હોય છે. ડો. પીયરસનનું ગણિત લઈએ તો જણાશે કે આજની પેઢીના પચીસ દામ્પત્યે આગલી પેઢીને સાઠ ટકા કરતાં વધુ લોકસંખ્યાની ભરપાઈ કરે છે. આ પચીસ દામ્પત્ય કેવાં હોવાં જોઈએ? પ્રથમ તેમની પ્રજોત્પાદક શક્તિ ઉત્તમ પ્રકારની હેવી જોઈએ અને ગુણ દૃષ્ટિએ આ કુટુંબે પણ ઉત્તમ ચુંટાવા જોઈએ. તેજ કુટુંબની ઉત્પાદક શકિત કમી થાય તો સંખ્યાની દૃષ્ટિએ સમાજની હાની થશે. કોઈ પણ બાહ્ય કારણ ન જણાતાં છતાં જે સમાજે નષ્ટ થયા તેમના નાશનું બીજ આજ મુદ્દામાં મળી આવે તેમ છે. કેટલાય રૂપાળા દેખાનારા સમાજે સૃષ્ટિમાંથી વિલુપ્ત થયા અને હજુ પણ થશે. લેકસંખ્યા સુવ્યવસ્થિત રાખવી હોય તે સમાજની પ્રજોત્પાદક (Reproductive value). ઉતમ સ્વરૂપમાં હોવી જોઈએ. ગુણ હીના પ્રજોત્પાદન પર પ્રત્યક્ષ નિયન્ત્રણ વડે એવા રીત રિવાજે ઉત્પન્ન થવા જોઈએ. આ બંને બાબતનું જે સમાજમાં પાલન થશે તે સમાજ પર ગમે તેટલી આપત્તિઓ આવશે તે પણ તેનો નાશ થશે નહિ. કેઈ પણ પ્રજાની ઉત્પાદન શકિત ગણિતાત્મક પદ્ધતિથી માપી શકાય તેમ છેઆ ફકત સંખ્યાનો જ પ્રશ્ન થયો. આજ લાડકી યુરોપીયન સંસ્કૃતિમાં સંખ્યાની સ્થિતિ શી થઈ છે તેને વિચાર જિજ્ઞાસુ વાચકોએ અવશ્ય કરી જેવો. થયા તેના કોઈ પણ જાતની થાય તે હમ સુરાવાની જે For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy