________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
ઉપર જે સંગ પસંઘની પ્રવૃત્તિ કહી તે મનુષ્યપ્રાણ સમાન છે એમ માની ધર્મસ્થાપન કરનારા ખ્રીસ્તી અને મહંમદી, કામગાર વર્ગના અર્થશાસ્ત્રની પદ્ધતિથી સમાજરચના થાય તો આ જગત નંદનવન બની જાય એમ માનનારા “માકર્સ ', લેનીન, એલીન, અને તેમના સમાજરત્તાવાદી અનુયાયીઓ, જોકસભાની ઇચ્છાનુસાર રાજસત્તા ચાલવી જોઈએ એમ માનનારા અંગ્રેજ અને અમેરિકન તત્ત્વજ્ઞો, વળી અમારા તરફને સુધારક મનાએ વર્ગ, હમણા હમણા જરા આગળ આવનારા વેદાંતવાગીશ, મહામહોપાધ્યાય, તર્કતીર્થ વગેરે પ્રાચીન સંસ્કૃતિના પુરસ્કર્તાઓ, સુશિક્ષિત, અર્ધસુશિક્ષિત, મનાએલા શુશિક્ષિત વગેરે આધુનિક સંસ્કૃતિના પુરસ્કર્તાઓ, આ બધામાંથી કેઈને પણ ઉપરક્ત પ્રવૃત્તિ અમાન્ય નથી. સંધ ન હોવા જોઈએ એમ તે કઈ પણ કહેતું નથી, પરંતુ દરેકનું કહેવું એમ છે કે જે પ્રકારથી સંઘ બનેલા દેખાય છે તે પ્રકારથી બનેલા ન હોવા જોઈએ. આ પ્રવૃત્તિ નૈસર્ગિક છે કે માનવકૃત છે એ જોતી વખતે પણ
જેનારાનું દૃષ્ટિબિંદુ આડે આવે છે. જે
પ્રકારની પ્રક્રિયા માનવ કરે છે તેજ પ્રકારની નૈસર્ગિક કે મનુષ્ય પ્રક્રિયા માનવેતર સૃષ્ટિમાં પણ ચાલુ છે એમ
બતાવવાથી, જવાબ મળે છે કે, મનુષ્ય જે
1841 le 31419441 (intelligence) બલ પર કરે છે, તેજ ક્રિયા ઈતર જીવજંતુઓ પ્રકૃતિજન્ય પ્રવૃત્તિના (instinct) પ્રવાહમાં કરે છે. પરંતુ બુદ્ધિ અને પ્રવૃત્તિની વ્યાખ્યાઓ પણ માનવજ કરે છે ને ? એમની વ્યાખ્યાઓ કેટલી ભૂલભરેલી છે એ અમે થોડા વખતમાં જ બતાવવાના છીએ. આર્ય વાડમયમાં આ પ્રકારનો ભેદ કરેલે દેખાતું નથી. ભગવાન શંકરાચાર્ય બ્રહ્મસૂત્ર પરનાં ભાષ્યમાં કહે છે, “મનુષ્ય અને ઈતર જીવજંતુઓને પ્રમાણુ અને પ્રમેયને વ્યવહાર એકસરખેજ હોય છે. “અતઃ સમાજ: પદ્માવલિ
1 Now evolutiou by Clarke. chup. II & III
For Private and Personal Use Only