________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ષાન્તર
૨૩
આવા જ પ્રકારના વિચાર ભગવદ્દગીતામાં સર્વ ઠેકાણે મળી આવે છે. 'स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धि लभते नरः ।' 'स्वकर्मणा तमभ्यर्च्य सिद्धि विदति मानवः ।' 'श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात्।
ઈત્યાદિ વચનો સર્વશાસ્ત્રીય સત્ય બતાવે છે, એ વાત ઉપરની ચર્ચા પરથી કાઈના પણ ધ્યાનમાં આવી શકશે.
હવે આ કર્તા પુરૂષ જે એકમાંથી બીજા થરમાં પ્રવેશ પામે તેનું, તેના મત પ્રમાણે મહત્વાકાંક્ષાની પૂર્તિ થઈ સમાધાન થયું હશે પરંતુ તેણે સમાજનું કયું હિત સાધ્યું તે સમજવું ઘણું જ કઠિન છે. જે સમાજમાં તે મૂળ કર્તા તરીકે ઊભો રહ્યો હતો, તે સમાજ તેના ક ત્વથી વંચિત થયા અને જે સમાજમાં તે પ્રવિષ્ટ થયે ત્યાંથી સૃષ્ટિના નિયમાનુસાર તેને પાણીચું મળ્યું. એકાદ કત્વવાન પિંડ અને તેને વંશ આપણામાંથી નષ્ટ થાય એજ સુધારણાની વ્યાખ્યા હેય તે કોને ખબર ? તેથી જ અમે પિતાનું નિયત કર્મ ( Function in it own sphere) ફેંકી દઈ એટલે સ્વધર્મને ત્યાગ કરી જગતમાં જે લેકે ઝળકયા, તેનું આગળ શું થયું એજ પ્રશ્ન અમે હંમેશ પુછતા આવ્યા છીએ; તે પ્રશ્નનો ઉતર દેવાનું અમારા સુધારક બંધુઓ શા માટે જતું કરે છે એજ સમજાતું નથી. આજ ચારે તરફ એવી સ્થિતિ થઈ છે કે જે માણસ ઉતમ કારકુન થવાને લાયક હશે તે હલકા પ્રકારના શિક્ષક થયો દેખાય છે. અને જેનામાં બીબાં ગોઠવવાની ઉત્તમ લાયકાત હશે તે એકાદ હલકો વર્તમાનપત્રને સંપાદક થએલો દેખાય છે. આવા જ પ્રકારની પરિસ્થિતિ સર્વ વર્ગમાં અને સર્વ ધંધામાં થયેલી દેખાય છે. આ પરિસ્થિતિના એકંદર સમુચ્ચયથી સમાજને શો ફાયદો થાય છે, અગર થશે એ
1 National Life from the stand point of Sojence-Pearson.
For Private and Personal Use Only