________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૫ મું ધ્યેયનું અલૌકિક સ્વરૂપ
આપણે જ્યારે જાણવું એ શબ્દ ઉચ્ચારીએ છીએ ત્યારે જાણનારી
શકિત અને જાણવાની વસ્તુ એ એકબીજાથી
ભિન્ન છે એમ જ માનીએ છીએ. જ્યાં વિચાર-કક જગત સુધી આપણે ઇકિયેથી જ્ઞાન મેળવીએ છીએ
ત્યાં સુધી આ બાબત ઘણું - સહેલાઈથી ધ્યાનમાં આવી શકે તેમ છે. જેનારી આંખ અને તેની સામેની વસ્તુ એ બંને ભિન્ન છે. સાંભળનારા કાન અને સંભળાએલું જ્ઞાન એ બંને ભિન્ન છે. આ બધું સહેલાઈથી સમજી શકાય તેવું છે. પરંતુ જ્યારે વિચાર કરવાની ક્રિયા (thought process)ને વિચાર કરવા લાગીએ છીએ, ત્યારે એ બાબત જોઈએ તેટલી સ્પષ્ટ થતી નથી. ધારો કે સર્વ ઇદ્રિય વિષયોથી મન પરાવૃત્ત કરી આંખો મીંચીને વિચાર કરવા બેઠા. વળી ધારો કે આપણે શિવાજી મહારાજને કે ગૌતમ બુદ્ધને વિચાર કરીએ છીએ. અહીં આપણે શાનો વિચાર કરીએ છીએ ? એ બંને અહીં પ્રત્યક્ષ વસ્તુઓ તે નથી ! કારણકે બંનેને ભૌતિક દેહ કયારેય નષ્ટ થઈ ગયો છે. જો કે જે પરમાણુંના તે પિંડ બનેલા હતા, તે પરમાણું સૃષ્ટિનાં બીજાં કેઈ સ્વરૂપમાં હશે, પરંતુ આપણે એ પરમાણુ વિષે કંઈ વિચાર કરતા નથી. શિવાજીને કે ગૌતમ બુદ્ધને વિચાર એ કશાનો વિચાર તે હોવો જ જોઈએ. કારણ કે જે કંઈ જ નથી તેને વિચાર પણ કેમ થઈ શકે? વળી
લીએ છીએવિષયથી મન પણ શિવાજી
ની વિચાર
For Private and Personal Use Only