SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિદ્ધહેમચંદ્ર વ્યાકરણની રચના સવત પ૦૩ પ્રાચીન અને તત્કાલીન ગ્રંથકાર અને ગ્રંથોના મતેના ઉલ્લેખે કરી તે ઉપર સમાચના કરી છે. આનું પ્રમાણ ૯૦૦૦૦ નેવું હજાર શ્લેક જેટલું મનાય છે. જે તે છપાય તે પતંજલ મહાભાગની જેમ આનાથી પણ વ્યાકરણ માટે ઘણું જાણવાનું મળે-નો પ્રકાશ પડે. જો કે આની રચનાને પણ ચેકકસ સમય જાણી શકાતો નથી. મૂળ વ્યાકરણના પાંચે અંગે પછી એટલે કે વિ. સં. ૧૧૯૩ બાદ ગમે ત્યારે કાવ્યાનુશાસન હેમાચાર્યો બનાવ્યું અને તે બન્યા પછી જ હેમન્યાસની રચના થJ છે. મૂળ કાવ્યાનુશાસન (અલંકાર ચૂડામણી) ની રચના તેમના વ્યાકરણ પછી થઈ છે અને તે પછી જ આ બહન્યાસ લખાયો છે, એમ પણ મારું દઢ મંતવ્ય છે. જે કે આ વાત કોઈ પણ લેખકે લખી નથી, એટલે ઘણું લેકેને નવી લાગશે, પણ પ્રસ્તુત ન્યાસનું અવલોકન કરતાં મને તેમાં સબળ પ્રમાણ મળ્યું છે, તેથી હું ભાર દઈને લખું છું. હેમવ્યાકરણને જોવામાહાત વાઇન્ ૧-૧-ર૬”ના સૂત્રની બૃહત્તિના હેમાચાકૃત આ બંન્યાસમાં તેમના અલંકારચૂડામણિ (કાવાનુશાસન) ના સૂત્રનો ઉતારો આવ્યો છે, તે આ પ્રમાણે છે – “જવા રવજ્ઞાસ્ત્રારઝૂકામ-વત્ર રિવ્યર્થ જાપ મુદઘામુદામને કgશવમ્' (જુઓ પં, ભ, સંપાદિત બન્યાસનું પેજ ૩૫) જે સૂત્રને અહીં તેમણે ઉતારો કર્યો છે તે સૂત્ર તેમના (હેમાચાર્યના) કાવ્યાનુશાસનમાં (નિર્ણસાગરની આવૃત્તિ પૃ. ૩૫માં) હાલ મળે છે તેમ કાવ્યાનુશાસનમાં હેમાકરણને નિર્દેશ છે; તેથી એ નકકી છે કે આ બ્રહન્યાસની રચના કાવ્યાનુશાસન (અલંકારચડામણિ) ની બાદ થઈ છે. સદરહુ ન્યાસના છપાએલ ભાગમાં દયાશ્રય વિષે કાંઈ ઉલ્લેખ નથી, તેમ દયાશ્રયમાં પણ તેને રસ્થા સંવત નથી, તેથી હું નિશ્ચયાત્મક For Private and Personal Use Only
SR No.020374
Book TitleHimanshuvijayjina Lekho
Original Sutra AuthorN/A
AuthorHimanshuvijay, Vidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages597
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy