SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહિલપુર-પાટણના ભૂતકાળ ૧૯ અવિચ્છિત રાજધાની રહી. તેથી ગુજરાત, કાઠીયાવાડ, દક્ષિણ, મારવાડ, માળવા, છુ દેલખંડ અને સિધ કચ્છ વિગેરે દેશોની લક્ષ્મીને પ્રવાહ પાટણ તરફ વળતા હતા. તિાસના જૂના જૈન ગ્રંથાના ઉલ્લેખથી જણાય છે કે પાટણને બાર ગાઉ જેટલે વિસ્તાર હતા. અહીં મેાટા મોટા સાહસિક વ્યાપારી અને કલાવિદે હતા. ટોડ સાહેમના રાજસ્થાનમાં લખ્યું છે કે પાટણમાં જગત્થરની વસ્તુઓ મળતી હતી. ચીન જાપાન અને જાવા સુધી પાટણના વ્યાપારીઓ અહીંથી વસ્તુ લઇ જઇ વેચતા તથા ત્યાંની ચીજો પરવાળા વગેરે દરેક જાતના વ્યાપારનું પાટણ એક ધામ કહેવાતુ. આજે પણ પાટણના મહેલામાં ફેફલીઆવાડા, મણીયાતીપાડા, ઝવેરીવાડા, કપાસીવાડા, ચા ખાવડીઆને પાડા, દાશીવાડા, ઘીયાને પાડો વિગેરે કેટલાંક નામો આ વ્યાપારતી પાટણનું અનુમાન કરાવે છે. શાહને પાડા, શાડા, ઝવેરીવાડા વિગેરે તથા કાટીપાંતની ધજા, લખપતિના દીવા વિગેરે નામે પાટણની વિભૂતિનો આછો તિહાસ પૂરા પાડે છે. કુમારપાલ ચરિત્રની પ્રસ્તાવનામાં લખ્યું છે કે કુમારપાલના અમલમાં ફક્ત પાટણમાં ૧૮૦૦ તે કરોડપતિ હતા. આનાથી પાકાને તે વખતના પાટણના વૈભવને ખ્યાલ આવી શકશે. તે વખતના વ્યાપારની વિશાળતાનું જ આ પરિણામ હતું. સાહિત્યમાં પાટણનો હિસ્સો સાહિત્યમાં પાટણે ભૂતકાળમાં સહુ કરતાં વધુ હિસ્સો આપ્યા છે. ગુજરાતના પ્રાચીન પ્રતિહાસ લખનાર સાહિત્યસેવાના વિષયમાં પાટણને કદી પણ વિસરી જશે નહિં. વિસરે તે માટે અન્યાય કે અજ્ઞાનજ કહેવાય. અગીયારમી સદીથી પાટણે સાહિત્યમાં દિવસે દિવસે પ્રતિ કરવા માંડી છે. ખારમી અને તેરમી સદીમાં એને પ્રભાવ આખા For Private and Personal Use Only
SR No.020374
Book TitleHimanshuvijayjina Lekho
Original Sutra AuthorN/A
AuthorHimanshuvijay, Vidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages597
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy