________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરહય,
૫૭
કર્માદળીયાની આ આઠ ભાગની કલ્પના અષ્ટવિધ કર્મબંધકે આશ્રી સમજવી. સાત, છ અને એકવિધ બંધકને વિષે તેટલાજ ભાગની કલ્પના કરવી. પ્રકૃતિબંધ અને પ્રદેશબંધના હેતુ (મન, વચન અને કાયાના) ગ જાણવા. સ્થિતિબંધ અને રસબંધના હેતુ કોધાદિક કષાયે જાણવા. તેમજ વળી પૃષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત એ રીતે પણ ચાર પ્રકારનો બંધ શાસ્ત્રમાં કહેલો છે. ઈતિ બંધવિચાર.
એ રીતે બંધત્વ નિરૂપણનામાં સમયસારને ચોથો અધ્યાય પૂર્ણ થયે. હવે સંવરતત્ત્વ નિરૂપણનામા પંચમ અધ્યાય વખાણે છે.
અશોને નિરોધ કરે તે સંવર કહ્યો છે. સમિતિ, ગુપ્તિ, પરીસહ, યતિધર્મ, ભાવનાઓ અને ચારિત્રવડે કર્મ પુદગલ ગ્રહણ કરવાને નિરોધ (અટકાવ) થવાથી તે સંવર સત્તાવન પ્રકારને થાય છે. તેમાં ઈર્યાદિક સમિતિ પાંચ; મન, વચન, કાયાના વેગ (વ્યાપાર) નિગ્રહરૂપ ગુપ્તિઓર ત્રણ; ક્ષુધાદિક પરીસ બાવીશ; ક્ષમા પ્રમુખ યતિધર્મ દશવિધ; અનિત્યાદિક ભાવનાઓ બાર અને સામાયકાદિ ચારિત્ર પાંચ, એ રીતે સંવરતત્ત્વ નિરૂપણનામા સમયસારને પાંચમે અધ્યાય કહ્યો. હવે નિર્જરાતત્ત્વ નિરૂપણનામાં સમયસારને છો
અધ્યાય કહે છે. ભગવાઈ ગયેલા કર્મ પુદગલનું પરિશાટન થવું (ખરી જવું) તે નિર્જરા કહેવાય છે. તે બે પ્રકારની ૧ સકામ, ૨ અકામ ભેદે
* છુટી સે, સૂત્રથી બાંધેલી સોયો, લેઢાના બંધનથી બાંધેલી સે અને હથડે ટીપી નાંખેલી યોની પેરે.
૧ ઈ-ગમનાગમન, ભાષા, એષણ, આદાન, નિક્ષેપ અને મળોત્સર્ગ પ્રસંગે ઉપયોગ સહિત પ્રવર્તન. અસત્ યોગને નિગ્રહ અને સત ( કુશળ ) વેગનું ઉદીરણ. ૩ સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સં૫રાય અને યથાખ્યાત.
For Private and Personal Use Only