________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબેધ
અનાથી મુનિ | દષ્ટાંત અનેક પ્રકારની લીલાથી યુક્ત મગધ દેશને શ્રેણિક રાજા અશ્વક્રીડાને માટે મેડિકુક્ષ એ નામના વનમાં નીકળી પડ્યો. વનની વિચિત્રતા મનહારિણી હતી. નાના પ્રકારનાં તરુકુજ ત્યાં આવી રહ્યાં હતાં, નાના પ્રકારની કોમળ વલ્લિકાએ ઘટાટોપ થઈ રહી હતી, નાના પ્રકારનાં પંખીઓ આનંદથી તેનું સેવન કરતાં હતાં; નાનાં પ્રકારનાં પક્ષિોના મધુરાં ગાયન ત્યાં સંભળાતાં હતાં; નાના પ્રકારનાં ફૂલથી તે વન છવાઈ રહ્યું હતું, નાના પ્રકારનાં જળના જરણ ત્યાં વહેતાં હતાં, ટૂંકામાં સૃષ્ટિ સૌંદર્યતાના પ્રદર્શનરૂપ હેઈને તે વન નંદનવનની તુલ્યતા ધરાવતું હતું. ત્યાં એક તરુ તળે મહા સમાધિવત પણ સુકુમાર અને સુખચિત મુનિને તે શ્રેણિકે બેઠેલા દીઠા. એનું રૂપ દેખીને તે રાજ અત્યંત આનંદ પામ્યું. એ અતુલ્ય ઉપમા રહિત રૂપથી વિસ્મય પામીને મનમાં તેની પ્રશંસા કરવા લાગે. અહો ! આ મુનિને કેવો અદ્ભુત વર્ણ છે! અહો! એનું કેવું મનહર રૂપ છે! અહો! આ આર્યની કેવી અદ્ભુત સૌમ્યતા છે! અહે! આ કેવી વિસ્મયકારક ક્ષમાના ધરનાર છે! અહો આના અંગથી વૈરાગ્યની કેવી ઉત્તમ ફુરણ છે ! અહા ! આની કેવી નિલેભતા જણાય છે! અહો! આ સંયતિ કેવું નિર્ભય અપ્રભુત્વ–નમ્રપણું ધરાવે છે! અહા ! એનું ભેગનું અસંગપણું કેવું સુદ્રઢ છે! એમ ચિતવત ચિતવતે, મુદિત થતો થતો, સ્તુતિ કરતે કરતે, ધીમેથી ચાલતા ચાલત, પ્રદક્ષિણા દઈને તે મુનિને વંદન કરીને અતિ સમીપે નહીં તેમ અતિ દૂર નહીં
નિર્લોભન
રાવત, મુકિત
મા દઈને
For Private And Personal Use Only