________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા
૧૮૫
થઈ સમભાવથી જનસમુદાયના હિત ભણી વળવું. પરેપકાર, દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતાનું સેવન કરવું એ બહુ સુખદાયક છે. નિર્ગથતા વિષે તો વિશેષ કહેવારૂપ જ નથી. મુક્તાત્મા તે અનંત સુખમય જ છે.
શિક્ષા પાઠ ૬૭. અમૂલ્ય તત્ત્વવિચાર:--
( હરિગીત છંદ ) બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળે,
તોયે અરે! ભવચકનો આટો નહિ એકે ટ; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહે,
ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહ રાચી રહે ? ૧ લક્ષમી અને અધિકાર વધતાં, શું વધ્યું છે તે કહે?
શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહે; વધવાપણું સંસારનું નર દેહને હારી જ,
એને વિચાર નહીં અહોહો! એક પળ તમને હવે !!! ૨ નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ, જે ગમે ત્યાંથી ભલે,
એ દિવ્ય શક્તિમાન જેથી જજીરેથી નીકળે; પરવસ્તુમાં નહિ મુંઝ, એની દયા મુજને રહી,
એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાતુ દુઃખ તે સુખ નહીં. ૩ હું કોણ છું? ક્યાંથી થયે? શું સ્વરૂપ છે મારું ખરું?
કેના સંબંધે વળગણ છે? રાખું કે એ પરહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જે કર્યા,
તે સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્વ અનુભવ્યાં. ૪
For Private And Personal Use Only