________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯
મેક્ષમાળા સભા વિસર્જન થઈ રાજા અંતઃપુરમાં ગયા, ત્યાર પછી કર્તવ્ય માટે જેણે જેણે માંસની વાત ઉચ્ચારી હતી, તેને તેને ઘેર અભયકુમાર ગયા. જેને ઘેર જાય ત્યાં સત્કાર કર્યા પછી તેઓ પૂછવા લાગ્યા કે, આપ શા માટે પરિશ્રમ લઈ અમારે ઘેર પધાર્યા! અભયકુમારે કહ્યુંઃ મહારાજા શ્રેણિકને અકસ્માત્ મહા રોગ ઉત્પન્ન થયે છે. વૈદ્ય ભેળા કરવાથી તેણે કહ્યું કે, કમળ મનુષ્યના કાળજાનું સવા ટાંકભાર માંસ હોય તે આ રેગ મટે. તમે રાજાને પ્રિયમાન્ય છે માટે તમારે ત્યાં એ માંસ લેવા આવ્યો છું. સામતે વિચાર્યું કે કાળજાનું માંસ હું મુઆ વિના શી રીતે આપી શકું ? એથી અભયકુમારને પૂછ્યું: મહારાજ, એ તો કેમ થઈ શકે ? એમ કહી અભયકુમારને કેટલુંક દ્રવ્ય પિતાની વાત રાજા આગળ નહીં પ્રસિદ્ધ કરવા આવ્યું તે તે અભયકુમાર લે ગયે. એમ સઘળા સામંતને ઘેર અભયકુમાર ફરી આવ્યા. સઘળા માંસ ન આપી શક્યા, અને પિતાની વાત છુપાવવા દ્રવ્ય આપ્યું. પછી બીજે દિવસે જ્યારે સભા ભેળી થઈ ત્યારે સઘળા સામંત પિતાને આસને આવીને બેઠા. રાજા પણ સિંહાસન પર વિરાજ્યા હતા. સામંતો આવી આવીને ગઈ કાલનું કુશળ પૂછવા લાગ્યા. રાજા એ વાતથી વિચિમત થયે. અભયકુમાર ભણી જોયું એટલે અભયકુમાર બેઃ મહારાજ ! કાલે આપના સામંતો સભામાં બોલ્યા હતા કે હમણા માંસ સસ્તું મળે છે તેથી તેઓને ત્યાં લેવા ગયે હતું ત્યારે સઘળાએ મને બહુ દ્રવ્ય
૧. દિ. આ૦ પાઠા –માટે તે પ્રત્યેક સામંત આપતા ગયા અને તે”
For Private And Personal Use Only