SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર મેક્ષમાળા શિક્ષાપાઠ ૧૫. ભક્તિને ઉપદેશ:– (તોટક છંદ) શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી; જિનભક્તિ પ્રહ તરુક૯પ અહે,ભજીને ભગવંત ભવંત લહે. ૧ નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મનતાપ ઉતાપ તમામ મટે; અતિનિજરતા વણદામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લહે. ૨ સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે, શુભ મંગળ આ પરિપૂર્ણ ચહે, ભજીને ભગવંત ભવંત લહે. ૩ શુભ ભાવવડે મન શુદ્ધ કરે, નવકાર મહાપદને સમરે; નહિ એહ સમાન સુમંત્ર કહે, ભજીને ભગવંત ભવંત લો. ૪ કરશે ક્ષય કેવળ રાગ કથા, ધરશે શુભ તત્ત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહે, ભજીને ભગવંત ભવંત લહે. ૫ શિક્ષાપાઠ ૧૬. ખરી મહત્તા – કેટલાક લક્ષમીથી કરીને મહત્તા મળે છે એમ માને છે; કેટલાક મહાન કુટુંબથી મહત્તા મળે છે એમ માને છે; કેટલાક પુત્ર વડે કરીને મહત્તા મળે છે એમ માને છે; કેટલાક અધિકારથી મહત્તા મળે છે એમ માને છે. પણ એ એમનું માનવું વિવેકથી જોતાં મિથ્યા છે. એ જેમાં મહત્તા કરાવે છે તેમાં મહત્તા નથી, પણ લઘુતા છે. લક્ષ્મીથી સંસરમાં ખાનપાન, માન અનુચરે પર આજ્ઞા, વૈભવ, એ સઘળું મળે છે અને એ મહત્તા છે, એમ તમે માનતા હશો, પણ For Private And Personal Use Only
SR No.020098
Book TitleBhavna Bodh Mokshmala
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1964
Total Pages261
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy