SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ધાતુ, ઉપધાતુ, શાધન ને મારેણ ૧૦૦૦ વગેરે માટે વૈદ્યરાજેએ તક પહોંચાડી ગ્ય માત્રાથી સઘળાં કામમાં વાપરવાથી ઘણું સારું કામ કરે છે. હરતાલ –વરખી હરતાલ લઈ તેને માણેકરસ બનાવો અને તે માણેકરસમાંથી આ પ્રમાણે ગોળીઓ બનાવવી. માણેકરસ, અકકલગરો, લવિંગ, સૂંઠ, પીપર, પીપરીમૂળ અને નાની એલચીના દાણા એ સર્વ સમભાગે લઈ માણેકરસ સિવાયની સર્વ વસ્તુઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, માણેકરને બે પહાર સુધી ખરલમાં વાટી ચૂર્ણ મેળવી ત્રણ દિવસ સુધી કુંવારના રસમાં ઘૂંટી ચણા જેવડી ગળી વાળી આપવાથી ખાસ કરીને વાતકફના વ્યાધિઓ, શરદી, ખાંસી તથા દમ માટે ઘણીજ ઉત્તમ છે. દમન હુમલે નરમ પડ્યા પછી દરરોજ રાત્રે એક ગોળી સેવે તે જૂને દમ મટી જાય છે અને શરીરમાં શક્તિ પણ સારી આપે છે. આ માણેકરસ હરતાલની જગ્યાએ દરેક કામમાં વપરાય છે. પ્રવાલભસ્મરચાધારા ડાંડલિયા શેરના ડાંડામાંથી વચમને ગર કાઢી નાખી વંતભરના ડાંડામાં આશરે એક તેલે પરવાળાં અને ગર દાબીને ભરી કપડમટ્ટી કરવી. એવા પાંચપંદર ડાંડા બનાવી ગજપુટમાં ફેંકી દેવાથી ભસ્મ થાય છે. આ પ્રમાણે તૈયાર કરેલી ભસ્મ શરદી, બીમારી, દમ તથા ખાંસી માટે અકસીર છે. ઉપરાંત ગરમીની બીમારી પર વાપરવા માટે પ્રવાલ તેલા ૧૦, ગુલાબનાં ફૂલની પાંતરીમાં વાટી ગજપુટમાં ભસ્મ કરવી. આ પ્રમાણે તૈયાર કરેલી ભમ ગરમીની બીમારી માટે ઘણી જ અકસીર માલુમ પડી છે. - સાબરશિંગું-સાબરશિંગાને રેતરડીથી બારીક ભૂકે કરી એક વાસણમાં ભરી તેમાં આકડાનું દૂધ સાબરશિંગું ડૂબતાં બે આગળ રહે તેટલું નાખી એક દિવસ તર રાખવું. પછી બીજે For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy