SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૧૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે - - - - - - - - - - - - - - - દિવસે ગજપુટ આપ. આ ભસ્મ ચાર રતી દિવસમાં ત્રણથી ચાર વખત મધમાં આપવાથી ત્રિદોષ, ફેફસાને વરમ, ખાંસી, દમ, લેહી પડવું વગેરે માટે અકસીર છે. ઈન્ફલ્યુએન્ઝાના હુમલા વખતે અમે બહુ ફતેહમંદીથી વાપર્યું છે. બીજી વિધિઃ-કડવી કુંવારના ગર્ભમાં સાબરશિંગાના કટકા એક દિવસ ભીંજવી રાખી બીજે દિવસે ગજપુટ આપે. આ ભસ્મ પણ અકસીર છે. એગ્ય અનુપાન સાથે આપવાથી સારું કામ કરે છે. ઝેરકચૂરા-ઝેરકચૂરાને માટે ઘણું તદબીર છે, પરંતુ તે તસામ પિકી અને શ્રેષ્ઠ માનું છું. ઝેરકચૂરાની બરાબર વજને ગાયનું ઘી લઈ સાંકડા વાસણમાં ધીમે તાપે પકાવતાં જ્યારે ફૂલીને કાળાશ પડતા લાલ રંગના થાય, ત્યારે અગ્નિ પરથી નીચે ઉતારી છાલ કાઢી નાખી વાટી વસ્ત્રગાળ કરી સઘળાં કામમાં વાપરવા. ઘી બરાબર વજને લેવું એ એની ચાવી છે. –વૈદ્ય ધનાશાહ હાથીખાનાવાળા-સુરત ઉત્તમ પ્રકારની સેમલભસ્મની વિધિઃ-શંખિયે સેમલ તેલા ૫ થી ૧૪ લાવીને આકડાના એક શેર દૂધમાં ડૂબે તેવી રીતે દશબાર દિવસ પલાળી રાખો. ત્યાર બાદ સેમલ કાઢી બીજા આકડાના દૂધમાં ખરલ કરી તેને ગાળો બનાવી છાંયડામાં સૂકવવે. પછી ખરસાણીની ડીરીઓ લાવી તેની પાંચ શેર રાખડી બનાવી, એક હાંડલીમાં અરધી રાખડી ખૂબ દાબી દાબી. ને ભરી, ગેળે મૂકી બીજી રાખડી ખૂબ દાબી દાબીને ભરવી. પછી તે હાંડલીને ચૂલે ચડાવી મધુર મધુરો તાપ આપ્યા કરે. આશરે શેરબશેર ખીચડી ચડે તે તાપ આપ. પછીથી ધીમે ધીમે તાપ વધારે, એ પ્રમાણે આઠ અહોરાત્ર સુધી આંચ આપ્યા For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy